અફઘાન સૈનિકો નથી લડતા તો અમે અમારા દિકરા અને દિકરીઓને કેમ લડવા મોકલીએ? જો બાઈડને કહ્યું – હવે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું
જો બાઈડને અમેરિકાને સંબોધન કરતા કહ્યુ કે, અફધાનિસ્તાનનુ સૈન્ય તેમના માટે લડી શકતુ ના હોય તો, અમેરિકાના સૈન્ય જવાનો એવા યુધ્ધમાં લડીને મરી ના શકે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના નિર્ણય પર પ્રશ્નાર્થ હેઠળ છે. દરમિયાન, યુએસ પ્રમુખ જો બાઈડને અમેરિકાની જનતાને સંબોધતા કહ્યું છે કે જો અફઘાન સૈનિકો લડતા નથી, તો અમારે કેટલી પેઢી સુધી અમેરિકન દીકરા -દીકરીઓ લડવા અફઘાનિસ્તાનમાં લડવા મોકલવા.
તેમણે કહ્યું કે મારો જવાબ સ્પષ્ટ છે. અમે અગાઉ કરેલી ભૂલોનું પુનરાવર્તન હુ નહીં કરું. યુએસ પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય દળોને પાછા ખેંચવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. અફઘાન નેતૃત્વને કોઈ સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યું અને તાલિબાનને ચેતવણી આપી કે જો તેઓ અમેરિકન કર્મચારીઓ પર હુમલો કરે અથવા દેશમાં તેમની કામગીરીમાં અવરોધ ઉભો કરશે, યુએસ બદલો લેશે.
અફઘાનિસ્તાનથી આવી રહેલી તસવીરોને અત્યંત વ્યથીત કરાવનારી ગણાવી બાઈડને કહ્યું કે અફધાનિસ્તાનનુ સૈન્ય તેમના માટે લડી શકતુ ના હોય તો, અમેરિકાના સૈન્ય જવાનો એવા યુધ્ધમાં લડીને મરી ના શકે.
How many more generations of America’s daughters and sons would you have me send to fight Afghanistan’s civil war when Afghan troops will not?….. I’m clear on my answer. I will not repeat the mistakes we have made in the past: US President Joe Biden
(File pic) pic.twitter.com/xmXwzI1CHb
— ANI (@ANI) August 17, 2021
અમેરિકાને સંબોધતા જો બાઈડને કહ્યું, અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ખેચવાના મારા નિર્ણય સાથે હુ સંપૂર્ણ રીતે સાચો છું. મને 20 વર્ષ પછી જાણવા મળ્યું કે યુએસ લશ્કર પાછું ખેંચવાનો ક્યારેય સારો સમય આવ્યો જ નહોતો, તેથી અમે હજુ પણ ત્યાં હતા. અમે અફઘાનિસ્તાનમાં જોખમો વિશે સ્પષ્ટ હતા.
અમે દરેક બાબતોને લઈને આકસ્મિક આયોજન કર્યું હતું પરંતુ મેં હંમેશા અમેરિકન લોકોને વચન આપ્યું હતું કે હું તમારી સાથે ખૂબ સ્પષ્ટ રીતે વાત કરીશ. ‘ તેમણે કહ્યું, ‘સત્ય એ છે કે આ બધું આપણે ધાર્યું હતું તેના કરતાં વહેલું થયું. અફઘાનિસ્તાનના નેતાઓએ હાર સ્વીકારી અને દેશ છોડીને ભાગી ગયા. અફઘાન સૈન્ય લડ્યા વિના જ હારી ગયુ હતું. છેલ્લા સપ્તાહની ઘટનાઓએ સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની દરમિયાનગીરીને સમાપ્ત કરવી એ જ યોગ્ય નિર્ણય હતો.
આ પણ વાંચોઃ
Maharaja Ranjit Singh: પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયનું નિવેદન, ‘લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક દરે વધી રહી છે’
આ પણ વાંચોઃ