રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર જન્મદિવસ ઉજવતા હતા, આ છે તેનું કારણ

રાણી એલિઝાબેથ(Queen Elizabeth) વર્ષમાં બે વાર પોતાનો જન્મદિવસ ઉજવતા હતા. વાસ્તવમાં એલિઝાબેથ-દ્વિતીય એ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી હતી અને બ્રિટનની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ઘણા કોમનવેલ્થ દેશોના રાણી પણ હતા

રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર જન્મદિવસ ઉજવતા  હતા, આ છે તેનું  કારણ
Queen elizabeth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 11:34 PM

બ્રિટનની રાણી એલિઝાબેથ(Queen Elizabeth)  દ્વિતીયનું નિધન થયું છે. રાણી એલિઝાબેથ 96 વર્ષની હતા અને 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ડોક્ટર મહારાણી એલિઝાબેથના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેની બાદ કહેવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથનું નિધન થઈ ગયું છે. એલિઝાબેથના મૃત્યુ સાથે, તેના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. જેમાં વર્ષમાં બે વાર જન્મદિવસની ઉજવણી વાત શેર કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર પોતાનો જન્મદિવસ ઉજવતા હતા. વાસ્તવમાં એલિઝાબેથ-દ્વિતીય એ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી હતી અને બ્રિટનની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ઘણા કોમનવેલ્થ દેશોના રાણી પણ હતા. ત્યારથી તેમનો જન્મદિવસ બે વાર ઉજવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. તો જાણી લો કે તે ક્યારે પોતાનો જન્મદિવસ બે વાર સેલિબ્રેટ કરે છે અને તેની પાછળનું કારણ શું છે.

જેમાં બ્રિટનના રાણીનો જન્મદિવસ 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. પરંતુ, બ્રિટનની ગાદી મળ્યા બાદ તેમનો બીજો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો. આ જન્મદિવસ તેમનો સત્તાવાર જન્મ દિવસ છે અને આ જન્મદિવસ સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે પરેડ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમનો બીજો જન્મદિવસ જૂનમાં આવે છે, એવું કહેવાય છે કે આ મહિનામાં સારું હવામાન છે. તેથી જ બીજો જન્મ દિવસ 17મી જૂને ઉજવવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શા માટે 17મી જૂન નક્કી કરવામાં આવી?

હવે પ્રશ્ન એ છે કે બીજો સત્તાવાર જન્મદિવસ માટે 17મી જૂનનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? આ પ્રશ્નનો જવાબ મેળવવા ઈતિહાસના પાના ફેરવવા પડશે. હકીકતમાં, સત્તાવાર જન્મદિવસની શરૂઆત વર્ષ 1748 માં રાજા જ્યોર્જ II ની જાહેરાત સાથે થઈ હતી. શાહી પરિવારના કોઈપણ રાજકુમાર અથવા સિંહાસન સંભાળનાર વ્યક્તિના જન્મદિવસ પર મોટી ઉજવણી કરવામાં આવશે અને પરેડનું આયોજન કરવામાં આવશે.

આ પછી, જ્યારે એડબર્ડે ગાદી સંભાળી, ત્યારે તેનો જન્મદિવસ ઉજવવાનો હતો. પરંતુ તેનો જન્મદિવસ નવેમ્બર મહિનામાં આવતો હતો ત્યારે ખૂબ જ ઠંડી પડે છે. આવી સ્થિતિમાં તે જૂનમાં ઉજવવાનું શરૂ થયું અને તે સમયે તે 17 જૂન નક્કી કરવામાં આવી હતી. ત્યારથી, અહીં સિંહાસન સંભાળનાર રાજા 17 જૂને તેમનો સત્તાવાર જન્મદિવસ ઉજવે છે. આ દિવસે પરેડ વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે 14 મોટા અધિકારીઓ, લગભગ 200 ઘોડા અને સૈનિકો સામેલ છે. આ સિવાય 400 સંગીતકારો ભેગા થાય છે અને સંગીત દ્વારા દિવસને યાદગાર બનાવે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">