બ્રિટનમાં પ્રિન્સમાથી કિંગ બન્યા બાદ, ચાર્લ્સની કેવી રહેશે કામગીરી
નવા કિંગ કોમનવેલ્થના નવા વડા પણ છે. કોમનવેલ્થ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોનું સંઘ છે. આ સાથે કિંગ ચાર્લ્સ III 14 કોમનવેલ્થ દેશોના વડા પણ બની ગયા છે.
સંસદીય રાજાશાહી ધરાવતા બ્રિટનમાં, રાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) અવસાન પછી સિંહાસન તેમના પૂત્ર પ્રિન્સ ચાર્લ્સને (Charles) સોપવામાં આવ્યું છે. બ્રિટનમાં સંસદીય રાજાશાહી છે, એટલે કે રાજા પણ છે અને સંસદ પણ છે. આ બંને ત્યાંની મજબૂત સંસ્થાઓ છે જે એકબીજાના પૂરક છે. કિંગ એ બ્રિટનના રાષ્ટ્રધ્યક્ષ ગણાય છે. જો કે, સિંહાસનસ્થ વ્યક્તિના અધિકારો અને તાકાત, પ્રતીકાત્મક અને ઔપચારિક છે. બ્રિટનના રાજા રાજકીય રીતે તટસ્થ રહે છે. રાષ્ટ્રના વડા તરીકે, કિંગ ચાર્લ્સ ત્રીજાને (King Charles III) દરરોજ લાલ ચામડાના બોક્સમાં સરકારી કામ અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો વિશે માહિતી મળશે.
આ સાથે મહત્વપૂર્ણ મીટિંગ અથવા દસ્તાવેજોની પણ અગાઉથી જાણ કરવામાં આવશે, જેના પર તેમની સહી જરૂરી રહેશે. વડા પ્રધાન લિઝ ટ્રુસ સામાન્ય રીતે દર બુધવારે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે અને તેમને સરકારની કામગીરી વિશે માહિતી આપશે. બ્રિટનના વડાપ્રધાન અને કિંગ ચાર્લ્સ વચ્ચે યોજાતી આ બેઠકો સંપૂર્ણપણે ખાનગી હોય છે અને તેમાં શું થયું તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ રાખવામાં આવતો નથી. કિંગ પાસે ઘણા સંસદીય કાર્યો પણ હોય છે.
કિંગ ચાર્લ્સ પાસે કઈ જવાબદારીઓ છે ?
બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ પછી સરકારની નિમણૂક કરવી એ રાજાના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે. ચૂંટણીમાં વિજેતા પક્ષના નેતાને કિંગના નિવાસસ્થાન, બકિંગહામ પેલેસમાં દ્વારા આમંત્રિત કરવામાં આવે છે અને તેમને સરકાર બનાવવા માટે ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવે છે. કિંગને બ્રિટનમાં સામાન્ય ચૂંટણી પહેલા સરકારને વિસર્જન કરવાનો અધિકાર પણ છે.
તેની સાથે જ, કિંગ ઓપનિંગ સેરેમનીમાં સંસદીય સત્રની શરૂઆત કરે છે અને તેમના ભાષણમાં સરકારની યોજનાઓની વિગતો જાહેર કરે છે. આ ભાષણ બ્રિટિશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સમાં થાય છે.
કિંગનું કામ સંસદમાં પસાર થયેલા કાયદાઓને ઔપચારિક મંજૂરી આપવાનું પણ છે. જેથી પસાર કરાયેલ કાયદાઓ માન્ય ગણાય. છેલ્લે બ્રિટનમાં સંસદ દ્વારા પસાર થયેલ કાયદાને બકિંગહામ પેલેસ દ્વારા કાયદો પસાર કરવાનો ઇનકાર કર્યો હતો તે વર્ષ 1708 માં હતો.
કોમનવેલ્થના વડા
એ જ રીતે, દર વર્ષે નવેમ્બરમાં, તેઓ રિમેમ્બરન્સ ડે પર સૂચનાઓ પણ આપે છે. તેને યુદ્ધવિરામ દિવસ અથવા વેટરન્સ ડે પણ કહેવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે કેટલાક કોમનવેલ્થ દેશોમાં યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા સૈનિકો અને સામાન્ય લોકોને યાદ કરવામાં આવે છે.
નવા કિંગ કોમનવેલ્થના નવા વડા પણ છે. કોમનવેલ્થ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોનું સંઘ છે. આ સાથે કિંગ ચાર્લ્સ III 14 કોમનવેલ્થ દેશોના વડા પણ બની ગયા છે. જો કે, બાર્બાડોસ 2021 માં પ્રજાસત્તાક બન્યા પછી, અન્ય કેરેબિયન કોમનવેલ્થ પ્રદેશોએ પણ પ્રજાસત્તાક બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.