UN મહાસચિવે કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની કરી વાત, ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો કર્યો અસ્વીકાર, કહ્યું PAK સાથે જ કરશે ચર્ચા
ભારતે કાશ્મીર મુદ્દે (Kashmir issue) ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થીનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે (Antonio Guterres) આશા વ્યક્ત કરી છે કે ભારત અને (India-Pakistan) પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવી શકે છે. ગુતારેસે શુક્રવારે કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્રનું વલણ અને લેવાયેલા ઠરાવ સમાન છે. જેમ તમે જાણો છો, અમારુ ત્યાં એક શાંતિ રક્ષક અભિયાન છે. અમે, અલબત્ત, પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યુ કે ‘મે ઘણી વખત મારા તરફથી સહકારની ઓફર કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ એવી વસ્તુ છે જેનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવી શકાય અને કાશ્મીરની સ્થિતિ આવી જ છે,” જેમાં માનવ અધિકારોનું સન્માન કરવામાં આવે અને જેમાં લોકો શાંતિ અને સલામતીથી જીવી શકે.
ગુતારેસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કાશ્મીર મુદ્દે પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. નોંધપાત્ર રીતે, નવી દિલ્હીએ કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે, અને કહ્યું છે કે ભારતનું વલણ દાયકાઓથી સ્પષ્ટ છે અને બંને દેશો આ મુદ્દા પર દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે. ગુતારેસે ઓગસ્ટ 2019માં એક નિવેદનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972ના દ્વિપક્ષીય કરારને યાદ કર્યો, જેને શિમલા કરાર તરીકે ઓળખવામાં આવે છે.
આ કરાર પર તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1972માં હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી કાશ્મીર મુદ્દા પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો અસ્વીકાર કરે છે. નવી દિલ્હીએ વારંવાર ઈસ્લામાબાદને કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર “ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે”. ભારતે પાકિસ્તાનને એમ પણ કહ્યું છે કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો રાખવા ઈચ્છે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતે બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરી અને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કર્યો. આ પછી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું. પાકિસ્તાને આ પગલા પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યું છે કે કલમ 370 નાબૂદ એ આંતરિક મામલો છે અને પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકારવાની સલાહ પણ આપી છે.
આ પણ વાંચો –
Oscars 2022 : સૂર્યાની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ ઓસ્કર ફિલ્મોની લિસ્ટમાં સામેલ
આ પણ વાંચો –