સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ
ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી.
આ પણ વાંચો : કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુતેરસ પાકિસ્તાનના પ્રવાસે છે. તેઓ પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર છે અને ત્યારે પાકિસ્તાનમાંથી આ નિવેદન તેઓએ આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થતા માટે તૈયાર છે. તેઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂગ કુરેશી સાથેની બેઠક બાદ આ વાત કહી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ફરીથી આ નિવેદન આપ્યું છે કે કાશ્મીર મુદો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ ઉકેલવો જોઈએ. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સેન્ય પર્યવેક્ષક ગ્રુપને છૂટ આપવી જોઈએ. કૂટનીતિ અને વાતચીત દ્વારા જ બંને દેશમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે છે. તેઓએ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]