Ukraine Russia: રશિયા સાથેના તણાવમાં નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ યુએસ પર ગુસ્સે યુદ્ધનો ભય પેદા કરવાનો આરોપ લગાવ્યો
Ukraine Russia Tension:રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyએ અમેરિકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, અમેરિકા યુદ્ધનો ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ (Ukraine Russia Conflict)એ હવે નવો વળાંક લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ (Volodymyr Zelensky) અમેરિકા પર ગુસ્સે છે. તેણે કહ્યું છે કે, રશિયાના હુમલાનો ડર ઉભો કરીને અમેરિકા બિનજરૂરી રીતે યુક્રેનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યું છે. બીજી તરફ, રશિયાના વિદેશ પ્રધાને કહ્યું છે કે, મોસ્કો યુદ્ધ શરૂ કરશે નહીં, પરંતુ યુએસ અને નાટો(NATO)ને ચેતવણી આપી છે કે તે (રશિયા) પશ્ચિમી દેશોને તેના સુરક્ષા હિતોને કચડી નાખવાની મંજૂરી પણ આપશે નહીં. જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા ગમે ત્યારે આ દેશ પર હુમલો કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું હતું કે, સૈન્ય તૈનાતીને ટ્રેક કરવા માટે એકલા ઉપગ્રહની છબીઓ પૂરતી નથી. અત્યાર સુધી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ નથી (Ukraine Russia Tensions 2022). જો કે, તેમણે એમ પણ કહ્યું, ‘અમે અમારી સ્વતંત્રતા અને પ્રાદેશિક સંપ્રભુતા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે આભારી છીએ. પરંતુ હું યુક્રેનનો રાષ્ટ્રપતિ છું. હું અહીં છું અને હું આ બધા વિશે વધુ જાણું છું. હું અન્ય દેશના રાષ્ટ્રપતિ કરતાં વધુ જાણું છું. યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તરફ ઈશારો કરી રહ્યા હતા.
સરહદ પર એક લાખ સૈનિકો તૈનાત
એવી માહિતી છે કે, રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ સૈનિકો, ટેન્ક, મિસાઈલ અને અન્ય ઘણા હથિયારો તૈનાત કર્યા છે. જેના કારણે ડર વધી ગયો છે કે રશિયા યુક્રેન પર હુમલો કરીને તેના પર કબજો કરી લેશે. એવું પણ માનવામાં આવે છે કે, અમેરિકાની ચેતવણી છતાં યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President) અને અન્ય અધિકારીઓ શેરબજાર અને અર્થવ્યવસ્થાને યુદ્ધના ભયથી દૂર રાખવા માંગે છે. ગુરુવારે, બાઈડન અને (Volodymyr Zelensky)એ પણ એકબીજા સાથે વાત કરી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર સંભાવના વ્યક્ત કરી કે રશિયા ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કરશે.
8 વર્ષ પહેલા વિસ્તાર પર કબજો કર્યો હતો
યુક્રેનના રાષ્ટ્રપતિએ ક્રિમિયા તરફ ઈશારો કરતા કહ્યું કે રશિયાએ 8 વર્ષ પહેલા તેમના પ્રદેશ પર કબજો જમાવ્યો હતો અને તેથી તેઓ એવું ન કહી શકે કે, તણાવ વધી રહ્યો નથી (Russia Ukraine Issue). આ કબજાના ભય વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે મોસ્કો લડાઈ શરૂ નહીં કરે. પરંતુ પશ્ચિમી દેશોને તેમના હિતોને કચડવા દેશે નહીં. લવરોવે એક રશિયન રેડિયો સ્ટેશનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યાં સુધી દરેક વ્યક્તિ રશિયન ફેડરેશન પર નિર્ભર રહેશે ત્યાં સુધી કોઈ યુદ્ધ નહીં થાય, અમે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ અમે અમારા હિતોને પણ કચડી નાખવા અને અવગણના થવા દઈશું નહીં.
આ પણ વાંચો-Cyber Attack Alert: ખતરામાં IoT ડિવાઈસ અને રાઉટરની સિક્યોરિટી, GitHub પર અપલોડ થયો સોર્સ કોડ