UK: રાણી એલિઝાબેથના હંસ રહસ્યમય બીમારીમાં સપડાયા, 26 હંસને મારી નાખવાની ફરજ પડી
Queen Elizabeth 26 Swans culling: રાણી એલિઝાબેથ (Queen Elizabeth)ના 26 હંસને જાણીજોઈને મારી નાખવામાં આવ્યા છે. આ હંસ એક રોગની ઝપેટમાં આવી ગયા હતા
UK: (Britain) રાજવી પરિવારના વિન્ડસર કેસલ(Windsor Castle)ખાતે થેમ્સ નદી(Thames River)ના કિનારે રાણી એલિઝાબેથ(Queen Elizabeth)ના 26 હંસને મારી નાખવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાવાનો ભય છે. છ હંસને લઈ કહેવામાં આવ્યું હતું કે, તેઓ એવિયન ઈન્ફલ્યુએન્ઝા(Avian influenza)થી મૃત્યુ પામ્યા હતા. આવી સ્થિતિમાં વાયરસ ફેલાવાનો ભય છે. અત્યાર સુધીમાં કુલ 33 પક્ષીઓના મોત થયા છે.
સ્વાન લાઇફલાઇન રેસ્ક્યુ સેન્ટરના પશુચિકિત્સકોને પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગ દ્વારા હંસને મારવા માટે બોલાવવામાં આવ્યા હતા. ક્વીન એલિઝાબેથ તમામ હંસની માલિક છે, આ હંસ બ્રિટનમાં ખુલ્લા પાણીમાં જોવા મળે છે. ધ સન ઓનલાઈનના અહેવાલ મુજબ, રાણીના હંસના માર્કર ડેવિડ બાર્બરે હંસના માર્યા ગયા હોવાની માહિતી આપી છે. એલિઝાબેથ આ માહિતી મેળવીને ખૂબ દુઃખી છે બ્રિટનની રાણી એલિઝાબેથ દેશમાં જોવા મળતા દરેક મૂક હંસની માલિક છે.
12મી સદીમાં, રાજાએ તમામ હંસ પર દાવો કર્યો
દર ઉનાળામાં, પરંપરાગત રીતે થેમ્સ નદી પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં હંસનું ટોળું અને તેમની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમનો રેકોર્ડ રાખવામાં આવે છે. આ ઘટના Swan Upping (હંસ પકડવાની પ્રવૃત્તિ) તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ 12મી સદીથી ચાલ્યો આવે છે, જ્યારે બ્રિટનમાં ખુલ્લા પાણીમાં બધા અચિહ્નિત મૂક હંસની માલિકીનો દાવો શાહી સિંહાસનના રાજા દ્વારા કરવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ એ હતો કે ખોરાક માટે હંસના પુરવઠામાં ક્યારેય વિક્ષેપ ન આવે. હાલમાં, રાણી આ હંસ પર આ અધિકારનો ઉપયોગ ફક્ત થેમ્સ નદી અને તેની આસપાસની ઉપનદીઓના ભાગોમાં જ કરે છે.
Swan Uppingમાં શું કરવામાં આવે છે
હંસ પરની માલિકી ‘વર્શિપફુલ કંપની ઑફ વિન્ટર્સ’ અને ‘ધ વર્શિપફુલ કંપની ઑફ ડાયર્સ’ સાથે રજુ કરવામાં આવે છે, જેમને 15મી સદીમાં રાજા દ્વારા માલિકીના અધિકારો આપવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે સ્વાન અપિંગ દરમિયાન હંસ અને તેમના બચ્ચાની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમનું વજન લેવામાં આવે છે અને કોઈપણ ઇજાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો કે, બ્રિટનમાં ચાલી રહેલા કોરોનાવાયરસ રોગચાળાને કારણે, હંસની ગણતરીનું કાર્ય અવરોધિત થવા જઈ રહ્યું છે. એવો અંદાજ છે કે વિન્ડસર કેસલની ત્રણ કિમીની ત્રિજ્યામાં 150 થી 200 હંસ છે.