કાશ્મીરી એક્ટિવિસ્ટે POKને લઈને કર્યા આકાર પ્રહાર, કહ્યું કે તે માત્ર અમને લૂંટી રહ્યા છે
પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોના કુદરતી સંસાધનોની લૂંટફાટ અટકી નથી. તેમજ અહીંના રાજકીય કાર્યકરોને પણ પોતાના નિશાન બનાવે છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને ગિલગિટ બાલ્ટિસ્તાન ઉપર એક કાશ્મીરી એક્ટિવિસ્ટે પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા હતા. યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના પ્રમુખ સરદાર શૌકત અલી કાશ્મીરી (Shaukat Ali Kashmiri) કહે છે કે પાકિસ્તાને આ વિસ્તારને તેની વસાહત તરીકે ઉપયોગ કર્યો છે. અહીં કુદરતી સંપદાનું શોષણ કરીને તેને બગાડ્યું છે.
શૌકત અલીએ કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોના કુદરતી સંસાધનોની લૂંટફાટ અટકી નથી. તેમજ અહીંના રાજકીય કાર્યકરોને પણ પોતાના નિશાન બનાવે છે.
શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, “અમારી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે,અમારા જળ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નીલમ અને જેલમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં અમને કોઈ પણ પ્રકારની રોયલ્ટી આપવામાં આવતી નથી. તેથી, પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં કાશ્મીર એક ઉપનિવેશ માત્ર છે. ત્યાં હાજર તમામ અધિકારીઓ અહીં GoC મુર્રેના હાથની કઠપૂતળી છે. તેઓ પાકિસ્તાનની સાર્વભૌમત્વના હિતની સેવા કરી રહ્યા છે. તેઓ કહેવાતા આઝાદ જમ્મુ અને કાશ્મીરના હિતની કોઈ પરવા કરતા નથી . ”
પાકિસ્તાને ખોટી રીતે આ પ્રદેશને સ્વતંત્રતા આપવાનો દાવો કરે છે, પરંતુ સ્થાનિકો તેને ‘સંપૂર્ણ મજાક’ કહે છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનો પણ કાશ્મીર માટે નીતિ નિર્માણ સાથે કોઈ સંબંધ નથી. હકીકતમાં, તેઓ ઇસ્લામાબાદના અધિકારીઓના આદેશને લાગુ કરવા માટે છે. કહેવાતી સ્વતંત્ર વિધાનસભાને તેના પોતાના પર એક પણ દસ્તાવેજ રજૂ કરવાની મંજૂરી નથી. તેમાં પણ ઇસ્લામાબાદની મંજૂરી અને આશીર્વાદ હોવા જરૂરી છે.
શૌકત અલી કાશ્મીરીએ કહ્યું કે, “તમામ સત્તા, બંધારણીય રૂપે, ઇસ્લામાબાદના અધિકારીઓના હાથમાં છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ (POK)ને બંધારણીય રીતે લોકોની સેવા કરવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાન-કબજાવાળા કાશ્મીરમાં, જે કોઈ એક લોક સેવક સેવા આપવા માંગે છે તેને પાકિસ્તાન પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેવાનું કહેવામાં આવે છે.”