Japanમાં આત્મહત્યાના દરમાં વૃદ્ધિ, સ્થિતિ કાબુમાં લાવવા સરકારે ખાસ મંત્રી પદની રચના કરી
જાપાનમાં અચાનક જ આત્મહત્યાના દરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેના પાછળ કોરોનાને કારણે ઉપસ્થિત થયેલા હાલાતોને કારણ માનવામાં આવી રહ્યુ છે.
Japanમાં અચાનક જ આત્મહત્યાના દરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેના પાછળ કોરોનાને કારણે ઉપસ્થિત થયેલા હાલાતોને કારણ માનવામાં આવી રહ્યુ છે. જાપાન સરકારે વધતા આત્મહત્યાના પ્રમાણને રોકવા માટે પહેલી વખત અલગ મંત્રીની નિયુક્તી કરી છે. જાપાનમાં છેલ્લા 11 વર્ષમાં પહેલી વખત આત્મહત્યાની સંખ્યામાં વધારો નોંધાયો છે.
જાપાનના એક સ્થાનિય અખબાર અનુસાર, પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ 19 ફેબ્રુઆરીના રોજ કેબિનેટમાં એક અલગ મંત્રી પદ બનાવ્યુ અને તેત્સુશી સાકામોટોને આ જવાબદારી સોંપી છે. તેમની પાસે ઘટતા જન્મદર અને ક્ષેત્રિય અર્થવ્યવસ્થાને સાચવવાની જવાબદારી છે. સાકામોટોએ પદગ્રહણ કર્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ કે તે આંતરીક સંબંધોને ગાઢ બનાવવા માટેના આયોજનો પર ભાર આપશે જેનાથી સામાજીક અલગતાપણુ દૂર થશે. જાપાનમાં 4.26 લાખ લોકો કોરોના સંક્રમિત થયા હતા અને7, 577 લોકોનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હતુ
આત્મહત્યા વધવા પાછળના કારણો
કોરોના અને લોકડાઉનને કારણે લોકો નોકરી ગુમાવી રહ્યા છે
લોકોને એકલાપણાનો અનુભવ થઇ રહ્યો છે
મહિલાઓમાં ડિપ્રેશનના કેસોમાં વધારો
લોકોના જીવનમાં હતાશા વધવા લાગી