આ પરિવાર અમેરીકામાં રહીને કરે છે દેશની સેવા, વીડિયો કોલ પર તપાસે છે કોરોનાના દર્દીઓને
America : ડૉ. ડોલી રાનીનો પરિવાર જેમાં દસ સભ્યો ડોકટર છે, આ ફેમિલી ઈન્ટરનેટ દ્વારા 24 કલાક ઓનલાઇન તબીબી સલાહ આપી રહ્યા છે.
કોઈ પણ દર્દી પોતાની સારવાર કરાવવા દવાખાને અને હોસ્પિટલમાં જાય છે. અથવા પોતાના ફેમિલી ડોક્ટરને વિઝિટ પર બોલાવે છે . પરંતુ અમેરીકામાં (America) એક પરિવાર છે જેમાં બધાં જ સદસ્યો ડૉક્ટર છે અને માત્ર સેવાની ભાવના સાથે અમેરિકાથી ફોન પર ભારતીયોની સારવાર કરે છે.
ડૉ. ડોલી રાનીનો પરિવાર જેમાં દસ સભ્યો ડોકટર છે, આ ફેમિલી ઈન્ટરનેટ દ્વારા 24 કલાક ઓનલાઇન તબીબી સલાહ આપી રહ્યા છે. જેથી દર્દીઓ અને એમનાં સંબંધીઓ સ્વાસ્થ્ય અંગે કોઈ પણ મુંઝવણ અનુભવતા હોય તો તેમને જરૂરી સલાહ સુચન આપે છે.
અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ રાજ્યમાં રહેતા ડૉ. ડોલી રાની વ્યવસાયે એન્ડોક્રિનોલોજિસ્ટ છે. તે હાલમાં 24 કલાક માટે વીડિયો ચેટ, ફોન કોલ્સ અને વોટ્સએપ પર તબીબી સલાહ આપતાં જોવા મળે છે. અને પોતાનો મોટાભાગનો સમય ભારતીયોની મદદ કરવામાં વાપરી રહ્યા છે, આ રીતે કપરા સમયમાં પોતાના જ્ઞાન અને અનુભવોનો ઉપયોગ સેવામાં કરે છે.
તેમની ‘મીની ટેલિમેડિસિન’ પ્રયત્નોના કારણે, છેલ્લા એક મહિનામાં ભારતના સેંકડો દર્દીઓએ લાભ લીધો છે. તેના પરિવારનાં દરેક ડોક્ટર તેઓને આ સેવા કાર્યમાં સાથ સહકાર આપે છે. ડૉ. ડોલી ભારત તરફથી આવતા દરેક ફોન કોલ અથવા સંદેશનો વોટ્સએપ મેસેજનો જવાબ આપે છે અને તમને જણાવે છે કે કયા લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ અને ક્યારે હોસ્પિટલમાં જવું જોઈએ. ક્યારે દર્દીઓને ઓક્સિજનની જરૂર ક્યારે પડતી હોય છે અને તેઓએ એન્ટિબાયોટિક્સ અથવા સ્ટીરોઇડ્સ ક્યારે શરૂ કરવા જોઈએ.
તેમનાં મતે સૌથી મુશ્કેલ કાર્ય દર્દીઓને દિલાસો અને હિંમત આપવાનું છે અને તેમને જીવવા માટેની ઇચ્છા જગાડવા માટે પ્રોત્સાહન આપવાનું છે.
ડૉ. ડોલી કહે છે કે – “આ યુદ્ધનો સમય છે.” સેવા પરિવારમાંથી જન્મે છે, તેથી તમે તમારા પ્રિયજનોને એકલા છોડી શકતા નથી. હિંમત ન હારો, હિંમત રાખો. જલ્દી સ્વસ્થ થઈ જશે. ” રાની કહે છે- ‘ઘણા સમાચાર મને ખલેલ પહોંચાડે છે. મને ખબર નથી કે આજે કયા સમાચાર પ્રાપ્ત થશે. પરંતુ આ યુદ્ધ જેવી સ્થિતિમાં જરૂરિયાતમંદોને શક્ય તે રીતે મદદ કરી રહ્યાં છીએ .
અમે ઇન્ડિયાનાપોલિસ એડમિનિસ્ટ્રેશન અને મેડિકલ એસેસમેન્ટની મદદથી 600 ઓક્સિજન કોન્સેન્ટર્સ પણ ભારત મોકલ્યા છે. બીજી તરફ ડો. ડોલીની બહેન ડો. ડેઝી કહે છે- “અલબત્ત આપણી ઉપર કામનું ભારણ વધુ હોય છે, પરંતુ જ્યારે આપણે આપણી જાતની સંભાળ રાખવી પડે ત્યારે તે ખરાબ લાગે છે.” પણ શું કરવું, આપણે કામ પર જવું પડશે જેથી અન્ય જીવ બચાવી શકાય. ‘
ડો. રાની કહે છે કે મોટાભાગના કોલ દિવસે ભારતથી આવતા હોય છે. એ સમયે મધ્યરાત્રિએ પણ, હું તેમને ફોન પર ધ્યાનથી સાંભળીશ અને સલાહ આપીશ. સ્થિતિ એ છે કે ભારતનું એવું કોઈ રાજ્ય નથી, જ્યાંથી અમને કોઈ કોલ મળ્યો નથી. મેં છેલ્લા એક મહિનાથી મારી માતા સાથે વાત કરી નથી, અને મધર્સ ડે પર પણ તેમની સાથે વાત કરી ત્યારે મારા માતાએ મને હું જે સેવા કરી રહી છું એ ચાલું રાખવા જણાવ્યું હતું. હું અને મારો પરિવાર આ કટોકટી સમયે સેવા કરવા માટે હંમેશા તૈયાર છીએ.