PM મોદીના નેપાળ પ્રવાસ પહેલા નેપાળના વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યું- બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળની મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વર્ષો જૂના સામાજિક-સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. નેપાળના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં આ વાત કહી હતી.

PM મોદીના નેપાળ પ્રવાસ પહેલા નેપાળના વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યું- બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 11:08 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) નેપાળની મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વર્ષો જૂના સામાજિક-સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. નેપાળના વિદેશ મંત્રાલયે (Nepal Ministry of Foreign Affairs) ગુરુવારે એક નિવેદનમાં આ વાત કહી. મોદી પાડોશી દેશના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર નેપાળની મુલાકાતે છે. મોદી 16 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બીનીની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશોના નેતાઓ લુમ્બિનીમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન બંને નેતાઓ ભારત-નેપાળ સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર એકબીજા સાથે વિચારો શેર કરશે.

વડા પ્રધાન મોદીની નેપાળની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વર્ષો જૂના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે, એમ નિવેદનમાં જણાવાયું છે. વડાપ્રધાન દેઉબા તેમના ભારતીય સમકક્ષ અને મુલાકાતી પ્રતિનિધિમંડળના સભ્યોના સન્માનમાં લંચનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને દેઉબા પવિત્ર માયાદેવી મંદિરમાં આયોજિત પ્રાર્થનામાં ભાગ લેશે અને લુમ્બિનીના મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત માટેના કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પીએમ મોદી આવતા અઠવાડિયે નેપાળ જશે

બંને નેતાઓ લુમ્બિનીમાં બુદ્ધ જયંતિના શુભ અવસર પર આયોજિત એક વિશેષ કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે નેપાળના વિદેશ મંત્રી નારાયણ ખડકા વડાપ્રધાન મોદીને મળશે. ભારતના વડાપ્રધાન તરીકે મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે. જુલાઈ 2021માં પાંચમી વખત વડાપ્રધાન બન્યા બાદ દેઉબા ગયા મહિને તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પર દિલ્હીમાં હતા. આ મુલાકાત દરમિયાન તેમનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાનો હતો.

(ઇનપુટ ભાષા સાથે)

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">