Sri Lanka: PMના રાજીનામા બાદ સ્થિતિ વણસી, હિંસામાં 3ના મોત, 174થી વધુ ઘાયલ

પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો થયો છે.

Sri Lanka: PMના રાજીનામા બાદ સ્થિતિ વણસી, હિંસામાં 3ના મોત, 174થી વધુ ઘાયલ
violence in Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 11:01 PM

શ્રીલંકામાં (Violence in Sri Lanka) સોમવારે સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં રાજપક્ષે ભાઈઓના શાસક પક્ષના એક સાંસદ અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શ્રીલંકાના પોદુજાના પેરામુના (SLPP)ના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (57) પોલોન્નારુઆ જિલ્લાના પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ (Sri Lanka Protests) દ્વારા ઘેરાયેલા હતા. તે જ સમયે લોકોનો દાવો છે કે સાંસદની કારને ગોળી વાગી હતી અને જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે તેમને ભાગીને એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. લોકોનું કહેવું છે કે સાંસદે પોતે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઈમારત હજારો લોકોથી ઘેરાયેલી હતી અને બાદમાં સાંસદ અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) મૃત હાલતમાં મળી આવ્યા હતા. ન્યૂઝ ફર્સ્ટ વેબસાઈટના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં અન્ય 27 વર્ષીય યુવકનું પણ મોત થયું હતું. આ દરમિયાન કોલંબોમાં ગોટાગોમા અને માનાગોગામા વિરોધ સ્થળો પર હિંસક હુમલા બાદ શ્રીલંકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણની બહાર ગઈ છે. SLPP પાર્ટીના નેતાઓની માલિકીની મિલકતો પર હુમલા થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ કુરુનેગાલા અને કોલંબોમાં પૂર્વ મંત્રી જોન્સન ફર્નાન્ડોની ઓફિસ પર હુમલો કર્યો છે. તેના બારમાં આગ લગાડવાના પણ સમાચાર છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પૂર્વ મંત્રી નિમલ લાંજાના ઘર પર હુમલો

પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો થયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યા બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. લોકોએ રાજપક્ષેના સમર્થકો પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેઓએ તેમના વાહનો રોક્યા અને ઘણા શહેરોમાં તેમના પર હુમલો કર્યો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ રાજપક્ષેના પૈતૃક ઘરને સળગાવી દીધું છે.

રાજપક્ષેની ઓફિસ સામે હુમલો

મહિન્દા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની સામે તેમના સમર્થકોએ સરકાર વિરોધીઓ પર હુમલો કર્યાના કલાકો બાદ રાજીનામું આપ્યું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા 174 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને રાજધાનીમાં સેના તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડારની અછતને કારણે આ સંકટ ઊભું થયું છે, જેનો અર્થ એ છે કે દેશ ખાદ્યાન્ન, ઇંધણની આયાત માટે ચૂકવણી કરી શકતો નથી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">