2700 લોકોના મોત પછી ચીનને થયું ભાન, કોરોનાને અટકાવવા લીધો આ નિર્ણય
કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 2788 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે અને ચીનમાંથી બિમારી વિશ્વભરમાં ફેલાઈ રહી છે. બુધવારના રોજ ચીનમાં કોરોના વાઈરસના વધુ 327 કેસ સામે આવ્યા છે. જો કે સારી વાત એ છે કે દરરોજ એક મહિનાથી કેસ નોંધાઈ છે તેમાં 327 સંખ્યા સૌથી ઓછી છે. Facebook પર તમામ […]
કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 2788 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે અને ચીનમાંથી બિમારી વિશ્વભરમાં ફેલાઈ રહી છે. બુધવારના રોજ ચીનમાં કોરોના વાઈરસના વધુ 327 કેસ સામે આવ્યા છે. જો કે સારી વાત એ છે કે દરરોજ એક મહિનાથી કેસ નોંધાઈ છે તેમાં 327 સંખ્યા સૌથી ઓછી છે.
ચીનને થયું ભાન અને લીધો આ નિર્ણય ચીનના શેનઝેન વિસ્તારમાં સરકારે કોરોના વાઈરસને રોકવા માટે એક અગત્યનો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. ચીનમાં કૂતરા અને બિલાડીના માંસ ખાવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છેલ્લે ચીનને સમજાયું છે અમુક પ્રાણીઓને ખાવાથી આ બિમારી ફેલાઈ રહી છે તેથી આ નિર્ણય લીધો છે. ચીનની સરકારના અધિકારીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યાં છે. જો કે એ વાત પણ સ્પષ્ટ નથી કરવામાં આવી કે બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે કે કાયમી રાખવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અત્યારસુધીમાં 2788 લોકોના મોત જ્યારે 78824 લોકો આ બિમારીની ભરડામાં આવી ચૂક્યાં છે અને સારવાર લઈ રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે આ બિમારી હાલ નિર્ણાયક સ્થિતિ પર છે. જો કે ચીનમાં કોરોના વાઈરસના કેસ ઘટી રહ્યાં છે તો અન્ય દેશમાં વધી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]