રાહતના સમાચાર: હુથી બળવાખોરોના ‘ચંગૂલ’માંથી સાત ભારતીય ખલાસીઓ મુક્ત, UAEના જહાજમાંથી થયુ હતું અપહરણ

છેલ્લા ત્રણ મહિનાથી યમનના (Yemen) હુથી વિદ્રોહીઓની (Houthi Rebels) કેદમાં ફસાયેલા સાત ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

રાહતના સમાચાર: હુથી બળવાખોરોના 'ચંગૂલ'માંથી સાત ભારતીય ખલાસીઓ મુક્ત, UAEના જહાજમાંથી થયુ હતું અપહરણ
Houthi rebels
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:56 AM

Houthi Rebels News:  યમનથી (Yemen) ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે યમનની રાજધાની સનામાં 14 વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સાત ભારતીય ખલાસીઓ (Indians Sailors Freed in Yemen) પણ સામેલ છે, જેઓ ત્રણ મહિનાથી હુથી બળવાખોરોના કબજામાં હતા. ઓમાનના વિદેશ મંત્રી બદર અલ્બુસૈદીએ આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે, રાજધાની સના પર હુથી વિદ્રોહીઓનો કબજો છે. ભારતીય ખલાસીઓ અને જુદા- જુદા દેશોના ઓછામાં ઓછા સાત અન્ય લોકોને યમનના હુથી બળવાખોરો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. વિદ્રોહીઓએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક વેપારી જહાજને કબજે કર્યું હતું,જેમાં આ બધા સામેલ હતા.

ઓમાનના વિદેશ મંત્રી અલબુસૈદીએ સાત ભારતીયો સહિત 14 લોકોની મુક્તિની પુષ્ટિ કરી છે. ઓમાનના વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, “પુષ્ટિ કરતા આનંદ થાય છે કે કેપ્ટન કાર્લોસ ડીમાતા, મોહમ્મદ જશીમ ખાન, અયાનચેવ મેકોનેન, દીપશ મુતા પરંબિલ, અખિલ રેઘુ, સૂર્ય હિદાયત પરમા, શ્રીજીત સજીવન, મોહમ્મદ મુનવર સમીર, સંદીપ સિંહ, લ્યુક સિમોનને આજે યમનમાં કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

જયશંકરે ઓમાનના વિદેશ મંત્રીનો આભાર માન્યો

વિદેશ પ્રધાન અલબુસૈદીએ કહ્યું, “અમે ઘણા પક્ષો દ્વારા કરવામાં આવેલા સારા અને માનવીય પ્રયાસો માટે ખૂબ આભારી છીએ, સનામાં યમનના નેતૃત્વના વિશ્વાસ સાથે લોકોને પરત લાવવામાં આવ્યા છે.” ઓમાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ 14 લોકોને ઓમાન રોયલ એરફોર્સ પ્લેન મારફતે રાજધાની મસ્કત લાવવામાં આવ્યા છે. અલબુસૈદીના ટ્વીટનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે મદદ કરવા બદલ ઓમાનનો આભાર માન્યો હતો. જયશંકરે ટ્વીટ કર્યું, ‘તમારી મદદ અને સમર્થન માટે મારા મિત્ર બદ્ર અલ્બુસૈદીનો આભાર. ભારતીયો સુરક્ષિત સ્વદેશ પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

તમને જણાવી દઈએ કે, હુથી બળવાખોરો દ્વારા સાત ભારતીય ખલાસીઓનું અપહરણ કરવામાં આવ્યા પછી, ભારત તેમને મુક્ત કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યું હતું. આ માટે સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. યમનમાં છેલ્લા 8 વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. હુથી વિદ્રોહીઓ યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. તેમને હટાવવા માટે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં યુદ્ધ પણ ચલાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">