શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 156 લોકોના મોત, 250થી વધારે લોકો ઘાયલ
શ્રીલંકામાં ચર્ચ અને હોટલોમાં લગભગ એક સાથે થયેલા વિસ્ફોટમાં લગભગ 129 લોકોના મોત થયા છે અને 400થી વધારે લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી ભયાનક હુમલોમાંથી એક છે. આ વિસ્ફોટ ઈસ્ટર પ્રાર્થના સભા દરમિયાન કોલંબોના સેન્ટ એન્થની, નેગેમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવાના એક ચર્ચમાં થયો હતો. Web Stories […]
શ્રીલંકામાં ચર્ચ અને હોટલોમાં લગભગ એક સાથે થયેલા વિસ્ફોટમાં લગભગ 129 લોકોના મોત થયા છે અને 400થી વધારે લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી ભયાનક હુમલોમાંથી એક છે. આ વિસ્ફોટ ઈસ્ટર પ્રાર્થના સભા દરમિયાન કોલંબોના સેન્ટ એન્થની, નેગેમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવાના એક ચર્ચમાં થયો હતો.
ત્યારે અન્ય વિસ્ફોટ ફાઈવ સ્ટાર હોટલો શંગરીલ, ધ સિનામોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરીમાં થયો. હોટલમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ વિદેશી અને સ્થાનીક લોકોને કોલંબોની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.
Colombo – I am in constant touch with Indian High Commissioner in Colombo. We are keeping a close watch on the situation. @IndiainSL
— Sushma Swaraj (@SushmaSwaraj) April 21, 2019
ભારતીય નાગરિકને કોઈ પણ પ્રકારની મદદ અને જરૂરીયાત માટે 94777903082 , 94112422788 અને 94112422789 નંબર પર ફોન કરી શકે છે. શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે કોલંબોમાં ભારતીય રાજદુતના સતત સંપર્કમાં છુ. અમે સ્થિતી પર પૂરી રીતે નજર રાખી રહ્યાં છે.
આ હુમલામાં 156 લોકોના મોતની ખબર સામે આવી છે. કોલંબોમાં 42, નેગેમ્બોમાં 60 અને બાટિકાલોઆમાં 27 લોકોના મોત થયા છે. કોલંબો નેશનલ હોસ્પિટલના પ્રવક્તા ડૉકટર સમિંદી સમરાકુને જણાવ્યું કે 300થી વધારે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]