Good news : ડિસેમ્બરથી સાઉદી અરેબિયાની યાત્રા કરી શકશે ભારત-પાકિસ્તાન સહીત આ 6 દેશના યાત્રી
Coronavirus Travel Restrictions Update: ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાએ કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટે ઘણા દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજદ્વારી અને તબીબી કર્મચારીઓ અને તેમના પરિવારોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે સંયુક્ત અરબ અમીરાત સહીત ખાડી અને અન્ય દેશો વચ્ચે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવે સાઉદી અરેબિયાએ જાહેરાત (Saudi Arabia) કરી છે કે તે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) સહિત છ દેશના પ્રવાસીઓ પરનો પ્રવાસ પ્રતિબંધ (Travel Ban) હટાવી લેશે કારણ કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે.
સાઉદી અરેબિયાએ કહ્યું છે કે ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ, વિયેતનામ, ઇજિપ્ત અને ભારતથી રસીકરણ કરાયેલા પ્રવાસીઓને સીધા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. પરંતુ આવ્યા બાદ તમારે 5 દિવસ ક્વોરેન્ટાઇનમાં પસાર કરવા પડશે.
આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, દેશના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફાર 1 ડિસેમ્બરથી લાગુ થશે. મંત્રાલયે આ નિર્ણય કોરોનાના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને લીધો છે. આ દેશોના પ્રવાસીઓને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે દેશની આરોગ્ય એજન્સીઓ દ્વારા તમામ પ્રક્રિયાઓ અને પગલાંનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. તેમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં પાછા ફરવા ઇચ્છતા સ્થળાંતર કરનારાઓ તમામ આરોગ્ય શરતોને આધિન રહેશે. તેઓએ પ્રવેશતા પહેલા ખાતરી કરવી પડશે કે તેઓ કોવિડ પોઝીટીવ નથી.
ફેબ્રુઆરીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ગત ફેબ્રુઆરીમાં, લેબનોન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, તુર્કી, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, આયર્લેન્ડ, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, બ્રાઝિલ, આર્જેન્ટિના, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ભારત, ઈન્ડોનેશિયા અને જાપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, રાજદ્વારી અને તબીબી કર્મચારીઓ અને તેમના પરિવારોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો :Pune : સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા પૂણેની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ