યુએનનો દાવો: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના 5900થી વધુ નાગરિકો માર્યા ગયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનિયનોએ મોટી સંખ્યામાં દેશ છોડી દીધો હતો. ત્યાં સ્થિતિ હજુ પણ સારી નથી.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનિયનોએ મોટી સંખ્યામાં દેશ છોડી દીધો હતો. ત્યાં સ્થિતિ હજુ પણ સારી નથી. રશિયન અને યુક્રેનિયન દળો રોજેરોજ સામસામે છે. આ દરમિયાન યુનાઈટેડ નેશન્સે (UN) યુક્રેનમાં યુદ્ધ દરમિયાનનો મૃત્યુઆંક જાહેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 5,916 લોકોના મોત થયા છે. જ્યારે 8616 લોકો ઘાયલ થયા છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 18 સપ્ટેમ્બર સુધી યુક્રેનમાં માર્યા ગયેલા 5916 લોકોમાં 2306 પુરૂષો, 1582 મહિલાઓ, 156 છોકરીઓ અને 188 છોકરાઓ સામેલ છે. આ સિવાય 8616 ઘાયલોમાં 1810 પુરૂષો, 1327 મહિલાઓ, 187 છોકરીઓ અને 259 છોકરાઓનો સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીનું માનવું છે કે, વાસ્તવીક મૃત્યુ અને ઈજાઓના આ આંકડા તેનાથી પણ વધુ હોઈ શકે છે. તે કહે છે કે, આ શક્ય છે કારણ કે મેરીયુપોલ, ઇઝિયમ, લિસિચાન્સ્ક, પોપાસ્ના અને સ્વાયરોડોનેત્સ્કના આંકડા હજુ સુધી ઉપલબ્ધ નથી. આમાં વિલંબ થઈ શકે છે. આ સાથે, ઘણી જગ્યાએ નાગરિકોના મોતની માહિતીની પણ પુષ્ટિ થવાની બાકી છે.
લોકમત યોજવાની યોજના
મંગળવારે, રશિયા-નિયંત્રિત યુક્રેનના પૂર્વ અને દક્ષિણ પ્રદેશોએ રશિયાનો અભિન્ન ભાગ બનવા માટે જનમતની જાહેરાત કરી. ક્રેમલિનના સમર્થન સાથે સંગઠિત અને ઝડપી ધોરણે રશિયાનો ભાગ બનવા માટે યુક્રેનના અલગતાવાદી ચાર પ્રદેશો દ્વારા આ પ્રયાસ મોસ્કોને યુક્રેન સાથેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનો આધાર આપશે. તે પણ ત્યારે જ્યારે યુક્રેનની સેનાને તેના વિસ્તારો કબજે કરવામાં સફળતા મળી રહી છે. (ઇનપુટ ભાષામાંથી પણ)