UNSCમાં સ્થાયી સભ્યપદ માટે રશિયાએ ભારતનું કર્યુ સમર્થન, ગણાવ્યું યોગ્ય ઉમેદવાર

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા સહિત યુએન સુરક્ષા પરિષદના સભ્યોએ યુએન ચાર્ટરનું સમર્થન અને બચાવ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વીટોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ વીટોનો ઉપયોગ કરવો જોઈએ.

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે રશિયાએ ભારતનું કર્યુ સમર્થન, ગણાવ્યું યોગ્ય ઉમેદવાર
Vladimir PutinImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 6:47 AM

રશિયાએ ફરી (Russia) એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારતની કાયમી સભ્યપદની ભલામણ કરી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને બ્રાઝિલ યુએનએસસીના કાયમી સભ્યપદ માટે લાયક ઉમેદવારો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અન્ય કોઈ દેશે ભારતની સ્થાયી સભ્યપદ અંગે અવાજ ઉઠાવ્યો હોય.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા સહિત પાંચ સ્થાયી સભ્યો છે. અગાઉ અમેરિકાએ પણ ઘણા મોરચે ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તાજેતરમાં, એક યુએસ અધિકારીએ રાષ્ટ્રપતિ જો બાઈડેનને ટાંકીને કહ્યું હતું કે તેઓ જર્મની, જાપાન અને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો તરીકે સમર્થન આપે છે. અમેરિકી અધિકારીએ એમ પણ કહ્યું હતું કે આ સંબંધમાં ઘણા મોરચે કામ કરવામાં આવ્યું છે.

બાઈડેન યુએનએસસીમાં સુધારા પર આગ્રહ રાખે છે

અગાઉ બુધવારે, રાષ્ટ્રપતિ જો બાઈડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન દરમિયાન યુએનએસસીમાં સંભવિત સુધારાને સમર્થન આપ્યું હતું. તેમના અગાઉના નિવેદનોને પુનરાવર્તિત કરતા તેમણે કહ્યું કે તેઓ માને છે કે સંસ્થાને વધુ સમાવિષ્ટ બનાવવાનો સમય આવી ગયો છે, જેથી કરીને તે આજના વિશ્વની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા સહિત યુએન સુરક્ષા પરિષદના સભ્યોએ યુએન ચાર્ટરનું સમર્થન અને બચાવ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વીટોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ વીટોનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભારતને કાયમી સભ્યપદ ન મળવાને કારણે વિશ્વનું નુકસાન

અગાઉ, યુએનએસસીની સ્થાયી સભ્યપદ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આ માટે ઘણા મોરચે કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત UNSCમાં સ્થાયી સભ્ય તરીકે સામેલ ન થવું એ માત્ર અમારૂ નુકસાન જ નથી, પરંતુ તે વિશ્વ માટે પણ સારું નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ તેના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">