અફઘાનિસ્તાનમાં જાણીતા ડોક્ટરનું અપહરણ કર્યા બાદ હત્યા, ખંડણીની રકમ આપવા છતાં મૃતદેહ રસ્તા પર મળ્યો

અલેમીનું બે મહિના પહેલા મઝાર-એ-શરીફ શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના અપહરણકર્તાઓએ તેમની મુક્તિ માટે ખંડણીની માંગણી કરી હતી. તેમના પુત્ર રોહિન અલેમીએ શુક્રવારે આ જાણકારી આપી છે.

અફઘાનિસ્તાનમાં જાણીતા ડોક્ટરનું અપહરણ કર્યા બાદ હત્યા, ખંડણીની રકમ આપવા છતાં મૃતદેહ રસ્તા પર મળ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 5:13 PM

અફઘાનિસ્તાન (Afghanistan)ના ઉત્તરી ભાગમાં એક જાણીતા ડોક્ટર (Doctor)નું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. મોહમ્મદ નાદર અલેમીનું બે મહિના પહેલા મઝાર-એ-શરીફ શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના અપહરણકર્તાઓએ તેમની મુક્તિ માટે ખંડણીની માંગણી કરી હતી. તેમના પુત્ર રોહિન અલેમીએ શુક્રવારે આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે આખરે પરિવારે તેને $3,50,000 ચૂકવ્યા. જો કે, પ્રારંભિક ખંડણી (Ransom)ની માંગ બમણી કરતાં વધુ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમના પુત્રએ જણાવ્યું કે ખંડણીના પૈસા મળ્યા છતાં અપહરણકર્તાઓએ અલેમીની હત્યા કરી અને તેના મૃતદેહને રસ્તા પર છોડી દીધો. રોહેન અલેમીએ કહ્યું ‘મારા પિતાને ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેના શરીર પર ઉઝરડા છે.’ અલેમી વ્યવસાયે મનોચિકિત્સક હતા અને મઝાર-એ-શરીફમાં સરકારી પ્રાંતીય હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમની પાસે એક ખાનગી ક્લિનિક પણ હતું, જે શહેરનું પ્રથમ ખાનગી મનોચિકિત્સક ક્લિનિક હોવાનું કહેવાય છે.

આઠ લોકોની ધરપકડ

તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખોસ્તીએ જણાવ્યું હતું કે તાલિબાન દળોએ મઝાર-એ-શરીફ નજીક બલ્ખ પ્રાંતમાં અલેમી સહિત ત્રણ લોકોના અપહરણ પાછળ રહેલા આઠ શંકાસ્પદ અપહરણકારોની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે અપહરણ કરાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ અલેમી પહેલાથી જ માર્યા ગયા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આઠ લોકોમાંથી બે સહયોગીઓની શોધમાં છે, જેમણે ડૉક્ટરની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે

તાલિબાન સંચાલિત નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી કે તમામ સરકારી કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે, જે તાલિબાન દ્વારા કબજા (Afghanistan Economy Situation) પછી ચૂકવવામાં આવ્યો ન હતો.

અફઘાનિસ્તાનમાં સરકારી કર્મચારીઓ માટે વેતનનો અભાવ ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે ગરીબી વધારવાનું એક પરિબળ છે. તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ યુએસ કોંગ્રેસને પત્ર લખીને અફઘાનિસ્તાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની માંગ કરી છે. પરંતુ અમેરિકાએ તેમની માંગને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

આ પણ વાંચો: પુરાતત્વવિદોએ દાયકાની સૌથી મોટી શોધ કરી, ઇજિપ્તમાં 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર મળ્યું!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">