ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 7 ભારતીયોની મુક્તિ, પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ

આ સંબંધમાં 47 વર્ષીય સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે 15 પેસેન્જર વાન ચલાવતો હતો અને બે ભારતીય નાગરિકોને લઈ જઈ રહ્યો હતો. જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 7 ભારતીયોની મુક્તિ, પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ
US Canada Border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:47 AM

ગયા અઠવાડિયે અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે અમેરિકા-કેનેડા સરહદ (US-Canada Border) નજીક ધરપકડ કરાયેલા સાત ભારતીય નાગરિકોને બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ગયા અઠવાડિયે ગેરકાયદેસર રીતે યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવેશેલા તમામ સાત ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ પ્રગતિમાં છે.”

આ મામલે 47 વર્ષીય સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે 15 પેસેન્જર વાન ચલાવતો હતો અને બે ભારતીય નાગરિકોને લઈ જઈ રહ્યો હતો, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. શેંડની 19 જાન્યુઆરીએ યુએસ-કેનેડા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. પાંચ ભારતીય નાગરિકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ કેનેડાની સરહદ પાર કરી ગયા હતા એ આશામાં કે કોઈ તેમને પોતાની સાથે લઈ જશે.

સ્ટીવ શેન્ડે અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી માર્યા ગયેલા લોકો સાથે વાત કરી!

થોડા સમય પહેલા અમેરિકા-કેનેડા બોર્ડર પાસે બરફમાં નવજાત શિશુ સહિત ચાર લોકોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હવે આ લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમનું કનેક્શન ગાંધીનગરથી હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોની સ્ટીવ શેન્ડ સાથે વાત થઈ હતી. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ઓળખાયેલા લોકોમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39 વર્ષ), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11) અને પુત્ર ધાર્મિક પટેલ (ઉંમર 3)ના નામનો સમાવેશ થાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પરિવાર 15 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, જેના કારણે છેલ્લા 8 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર ગેંગે અકસ્માતનો ભોગ બનેલા લોકો સહિત ઘણા લોકોને પૈસાની મદદની લાલચ આપી હતી. જ્યારે કેટલાક લોકો કેનેડાથી અમેરિકા બોર્ડરની અંદર આવ્યા, ત્યારે અમેરિકા બોર્ડર પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

આ પણ વાંચો : આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર જીતી લીધું દિલ, જુગાડ કરીને જીપ બનાવનારને SUV આપી ભેટમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">