3200 km ની સફર, 3 ઘુસણખોર અને 11 દિવસની સફરની વાચો સનસનાટી ભરેલી STORY
આફ્રીકાના પશ્ચિમી ક્ષેત્રમાથી કૈનરી દ્રીપમા (Canary Drip)આવનાર લોકોની સંખ્યામા સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ અચરજની વાત એ છે કે 3200 કી.મી મુસાફરી કરતા 11 દિવસ થયા હતા આ 11 દિવસ સુધી ભૂખ્યા - તરસ્યા રહીને પણ આ લોકો કેવી રીતે જીવિત રહ્યા તેના પર સવાલો ઉઠી રહ્યા છે
સ્પેનમા એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.જેમા સ્પેનમા ત્રણ લોકો ઘુસણખોરીના આરોપમા ધરપકડ કરવામા આવી છે. આ ત્રણે લોકો નાઈજીરીયા થી કૈનરી દ્રીપ પર પોંહચ્યા હતા. લોકોને આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે આ ત્રણે લોકો 3200 કી.મી લાંબા સમુદ્રની મુસાફરી જહાજના પતરા પર ( rudder) લટકીને પૂરી કરી હતી. આ ત્રણ લોકો 11 દિવસ પછી કૈનરી દ્રીપ પોંહચ્યા ત્યારે ત્રણે લોકોની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. જેમા ડિહાઈડ્રેશન અને હાઈપોથર્મિયાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણે લોકોની ગંભીર હાલત જોતા ત્રણે લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.
આફ્રીકાના પશ્ચિમી ક્ષેત્રમાથી કૈનરી દ્રીપમા આવનાર લોકોની સંખ્યામા સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ અચરજની વાત એ છે કે 3200 કી.મી મુસાફરી કરતા 11 દિવસ થયા હતા આ 11 દિવસ સુધી ભૂખ્યા – તરસ્યા રહીને પણ આ લોકો કેવી રીતે જીવિત રહ્યા તેના પર સવાલો ઉઠી રહ્યા છે. જહાજના પતરા પર બેઠેલા આ ત્રણ લોકોથી સમુદ્રની લહેરો થોડી જ દૂર હતી.
એક મીડિયા રિપાર્ટસ અનુસાર , ત્રણે લોકો એક ઓઈલ ટૈંકરના જહાજ ઈલિથિનના પતરા પર બેસીને મુસાફરી કરી હતી. જે જગ્યા પર તેઓ બેઠેલા હતા તે સામાન્ય રીતે જહાજના પાછળના ભાગે નીચેની તરફ હોય છે. સોશિયલ મિડીયામા વાયરલ થયેલ ફોટોમા જોવા મળે છે કે તેમના પગ સમુદ્રની લહેરોથી થોડા જ દૂર છે. જો તીવ્ર લહેર ચાલી હોત તો તેમના જીવ પર જોખમ ઉભિ થઈ શકતું હતું કેમ કે તે જગ્યા ખરેખર જોખમી હતી.
અધિકારીયો એ જણાવ્યુ કે ખતરનાક સફરના કારણે આ ત્રણે લોકોને ડિહાઈડ્રેશન અને હાઈપોથર્મિયા જેવી તકલીફ થઈ છે. માઈગ્રેશન એડવાઈઝર સેમા સાટા મુજબ , આ કોઈ પહેલી વાર નથી થયુ. આ અગાઉ પણ લોકો ઘુસણખોરી કરતા આવ્યા છે. સ્પેન ઈન્ટીરિયર મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર, આ વર્ષ સમુદ્રમાર્ગે 11600 લોકો દાખલ થયા છે. આ તમામ લોકો આફ્રીકાના રિફ્યુજી છે. ઘુસણખોરીના પગલે એટલે જ સ્થાનિક સરકાર દ્વારા હવે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે કે જેથી કરીને ઘુસણખોરો પર નજર પણ રાખી શકાય અને દેશની સુરક્ષા વ્યવસ્થા પર સીધો કોઈ ખતરો ના ઉભો થાય.
મળતી માહિતિ પ્રમામે સ્થાનિક સુરક્ષા એજન્સીએ આ ત્રણેય લોકોની તપાસ શરૂ કરી છે અને તેમની પાસેથી કોઈ વિગતો મળે છે કે કેમ તે દિશામાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં ત્રણ લોકોની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે.