રવિન્દ્ર જાડેજા ટી-20 સીરીઝથી થયો બહાર, પાછલી બે સીરીઝના હિરો ગણાતા ખેલાડીનો સમાવેશ
રવિન્દ્રસિંહ જાડેજા ઓસ્ટ્લીયા સામેની મેચમાં ટી-20 સીરીઝના પછી બાકીની બંને મેચો થી બહાર થઇ ગયો છે. માથામાં ઇજા થવાને લઇને લઇને તે હવે આગળની મેચ નહી રમી શકે. તેની જગ્યાએ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવવામાં આવ્યો છે. જાડેજાએ ઓસ્ટ્રેલીયા સામે રમતા પ્રથમ ટી-20 મેચમાં મિશેલ સ્ટાર્કના બોલ પર માથામાં ઇજા પહોંચી હતી. જેને લઇને […]
રવિન્દ્રસિંહ જાડેજા ઓસ્ટ્લીયા સામેની મેચમાં ટી-20 સીરીઝના પછી બાકીની બંને મેચો થી બહાર થઇ ગયો છે. માથામાં ઇજા થવાને લઇને લઇને તે હવે આગળની મેચ નહી રમી શકે. તેની જગ્યાએ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવવામાં આવ્યો છે. જાડેજાએ ઓસ્ટ્રેલીયા સામે રમતા પ્રથમ ટી-20 મેચમાં મિશેલ સ્ટાર્કના બોલ પર માથામાં ઇજા પહોંચી હતી. જેને લઇને હવે તે આગામી મેચ માટે થી બહાર રહી આરામ કરશે.
બીસીસીઆઇ એ બતાવ્યુ છે કે, જાડેજા હાલમાં નીરીક્ષણ હેઠળ છે. તેને એસેસમેન્ટ માટે સ્કેનીંગ માટે પણ લઇ જવામાં આવશે. જાડેજાએ કેનબરામાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 30 બોલમાં 44 રન બનાવ્યા હતા અને ટીમનો સ્કોર 161 રન પર પહોંચાડ્યો હતો. ટીમ ઇન્ડીયા માટે આ સ્કોર જીત માટે ઉપયોગી સાબિત થયો હતો. ભારતે પ્રથમ ટી-20 મેચને 11 રન થી જીતી લીધી છે, આમ 1-0 થી ભારત સીરીઝમાં આગળ થયુ છે.
શાર્દુલ ઠાકુર ટીમમાં સમાવાયો તે એક સારુ પગલુ માનવામાં આવી રહ્યુ છે. તે બેટીંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. સાથે જ ભારતની પાછલી બંને ટી-20 સીરીઝમાં સૌથી વધુ વિકેટ પણ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ સામે પણ આ વર્ષની શરુઆતમાં શાર્દુલ ઠાકુરે પાંચ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. તે બંને ટીમોમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો. તે સીરીઝ પહેલા પણ તેણે શ્રીલંકા સામે બે ટી20 મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં પણ તે સૌથી વધુ વિકેટ લેનારો બન્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો