બ્રિટનના મહારાણી એલિઝાબેથે હોસ્પિટલમાં વિતાવી રાત, બકિંગહામ પેલેસે આપી જાણકારી

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે,મહારાણીને બુધવારે લંડનની કિંગ એડવર્ડ સપ્તમની ખાનગી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા. જે બાદ તે ગુરુવારે બપોરે પોતાના ઘરે પરત આવ્યા હતા. હાલમાં, રાણી એલિઝાબેથ બીજા સંપૂર્ણપણે સ્વસ્થ છે.

બ્રિટનના મહારાણી એલિઝાબેથે હોસ્પિટલમાં વિતાવી રાત, બકિંગહામ પેલેસે આપી જાણકારી
Queen Elizabeth II (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:20 AM

બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજાએ (Queen Elizabeth II) તાજેતરમાં હોસ્પિટલમાં એક રાત વિતાવી હતી. બકિંગહામ પેલેસે ગુરુવારે આ અંગેની જાણકારી આપી હતી. પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તબીબી સલાહ બાદ રાણીને બુધવારે બપોરે કેટલાક રૂટિન ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એક રાત વિતાવ્યા બાદ તે ગુરુવારે બપોરે વિન્ડસર કેસલ પરત આવ્યા હતા. ડોક્ટરોએ તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી.

બકિંગહામ પેલેસ પાસેથી સ્થાનિક મીડિયાને આપેલી માહિતી અનુસાર, રાણીની હોસ્પિટલ જવાનું પહેલાથી નક્કી ના હતું. તે અહીં ટૂંકા સમય માટે રહેવાની ધારણા હતી પરંતુ રાત રોકાવું વ્યવહારુ કારણોસર હતું. બકિંગહામ પેલેસે જણાવ્યું કે 95 વર્ષીય રાણીએ બુધવારે અમુક ટેસ્ટ માટે લંડનની કિંગ એડવર્ડ સપ્તમની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા.

જે બાદ તે ગુરુવારે બપોરે તેના વિન્ડસર કેસલ ઘરે પરત આવ્યા હતા. હાલમાં રાણી એલિઝાબેથ દ્વિતીય સંપૂર્ણપણે સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે, રાણી એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાણી છે. 1952થી ગાદી ઉપર છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

બુધવારે મહારાણી ઉત્તરી આયર્લેન્ડની મુલાકાત રદ કરી હતી. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, અનિચ્છાએ થોડા દિવસો માટે આરામ કરવાની ડોકટરોની સલાહ સ્વીકારી છે. સશસ્ત્ર દળોની દાનત રોયલ બ્રિટિશ લીજનની શતાબ્દી નિમિત્તે રાણી એલિઝાબેથ એક સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

95 વર્ષીય રાણી એલિઝાબેથ દ્વિતીય જે બ્રિટનની સૌથી લાંબી સેવા આપનાર રાણી છે. તેને વૃદ્ધ કહેવું ગમતું નથી. આ કારણે તેણે બ્રિટિશ મેગેઝીન ઓલ્ડી દ્વારા આપવામાં આવેલ ‘ઓલ્ડી ઓફ ધ યર’ એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. રાણી એલિઝાબેથ કહે છે કે તેણી પાસે એવોર્ડ માટે જરૂરી લાયકાત નથી.

મેગેઝિન અનુસાર, એવું લાગ્યું કે રાણીને ભૂતપૂર્વ વડા પ્રધાન જોન મેજર, અભિનેતા ઓલિવિયા ડી હેવિલેન્ડ અને કલાકાર ડેવિડ હોકનીની જેમ સન્માન મળવું જોઈએ.

મેગેઝિનનો જવાબ ક્વીન એલિઝાબેથના અંગત મદદનીશ સચિવ ટોમ લેંગ-બેકર દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે લખ્યું, ‘રાણી માને છે કે તમે જેટલું વૃદ્ધત્વ મહેસુસ કરો છો, તેટલા વૃદ્ધ હોવ છો. રાણી માનતાનથી કે તે તમારી તરફથી નક્કી કરેલી શરતોને પૂર્ણ કરતા નથી અને આ સ્થિતિમાં તે તમારો એવોર્ડ સ્વીકારવામાં અસમર્થ છે. તેણીને આશા છે કે તમને આ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવાર મળશે.

આ પણ વાંચો : Prime Minister Narendra Modi’s address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, રસીકરણના 100 કરોડ ડોઝ, કોરોના અંગે કરી શકે છે વાત

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">