President Putin in India: રાષ્ટ્રપતિ પુતિને ભારત આવવા પર વ્યક્ત કરી ખુશી, પીએમ મોદીએ કહ્યું- દુનિયામાં ઘણુ બદલાયુ પણ અમારી મિત્રતા નહી
કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે જ ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જ્યા બન્નેએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બન્ને નેતાઓની મુલાકાતથી ચીન અને પાકિસ્તાનને એક પ્રકારનો સંદેશો આપ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આજે એટલે કે સોમવારે ભારતના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેમનું વિશેષ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પણ મળ્યા. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસમાં ( Hyderabad House) મુલાકાત કરી અને બંને નેતાઓ 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
કોરોના રોગચાળાને જોતા બંને નેતાઓની મુલાકાત માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમની વાતચીત દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે પરંતુ વિદેશ પ્રમુખની મુલાકાત દરમિયાન કોઈ પરંપરાગત મીડિયા નિવેદન નહીં હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસમાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કર્યુ છે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે 9.30 કલાકે રશિયા જવા રવાના થશે.
ચીન-પાકિસ્તાન માટે મોટો સંદેશ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતથી ભારત-રશિયાના સંબંધો ગાઢ તો બનશે જ પણ તેની સાથોસાથ ચીન-પાકિસ્તાન જેવા દેશોને પણ મોટો સંદેશ જશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભારત આવવા માટે ખાસ ભેટ લઈને આવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને S 400નું મોડલ રજૂ કરશે. આ બધું ખાસ કરીને એવા સમયે થવાનું છે જ્યારે ભારત અને રશિયા વચ્ચે S400 એર ડિફેન્સ સિસ્ટમની પાંચમાંથી બે સિસ્ટમ રશિયાથી ભારતને ડિલિવરી માટે મોકલવામાં આવી છે. આ સિવાય પુતિનની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશના અમેઠીમાં સંયુક્ત રીતે એકે 203 બનાવવા માટે ભારત અને રશિયા દ્વારા ડીલ પર હસ્તાક્ષર થવા છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લીધો
અગાઉ, ભારત અને રશિયાએ પ્રથમ વખત 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો યોજી હતી જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર ઉપરાંત રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ભાગ લીધો હતો. આ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બદલાતી દુનિયામાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને સમયની કસોટી સામે ટકી રહ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદને પ્રદેશ સામેના મુખ્ય પડકારો ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ
હવામાનની માફક બદલાતી રહે છે રાકેશ ટિકૈતની માંગ, હવે ખેડૂત સંગઠનમાં ઉભા થયા મતભેદો
આ પણ વાંચોઃ