નાઈજીરિયામાં પોલીસને મળી મોટી સફળતા, અપહરણ કરાયેલા 100 જેટલા લોકોને બિનશરતી બચાવ્યા
પોલીસે જણાવ્યું કે મુક્ત કરાયેલા મોટાભાગના લોકોના કપડાં ફાટેલા હતા અને તેમના પગમાં ચપ્પલ પણ નહોતા. આ દરમિયાન બાળકો કુપોષિત જણાતા માતાઓએ પોતાના બાળકોને કપડાની મદદથી પીઠ પર બાંધી દીધા હતા.
ઉત્તર-પશ્ચિમ નાઇજિરીયામાં પોલીસે (Nigeria police) બે મહિના કરતાં વધુ સમય પહેલાં સશસ્ત્ર જૂથો દ્વારા બંધક બનાવાયેલા ઓછામાં ઓછા સો લોકોને મુક્ત કર્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. જામફારા રાજ્યના પોલીસ વડા(Chief of Police of Jamphara State) અયુબ એલકાનાએ મંગળવારે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા 97 લોકોમાંથી 19 શિશુ હતા અને 12 થી વધુ બાળકો હતા. આમાંના મોટાભાગના કપડાં ફાટેલા અને જૂના હતા અને આ લોકો પાસે જૂતા કે ચપ્પલ વગેરે નહોતા.
પોલીસે જણાવ્યું કે બાળકો કુપોષિત જણાતા હતા અને માતાઓએ તેમના બાળકોને કપડાની મદદથી પીઠ પર બાંધી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર જૂથોના છુપાયેલા સ્થળો પર સંયુક્ત ઓપરેશન બાદ સોમવારે બંધકોને બિનશરતી મુક્ત કરવામાં આવ્યા હતા. આ જૂથો દૂરના વિસ્તારોના લોકોને આતંકિત કરે છે. આ લોકોનું જામફારા અને પડોશી રાજ્ય સોકોટોમાં તેમના ઘરો અને હાઇવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
પોલીસ વડાએ કહ્યું કે બંધક બનાવાયેલા લોકોને ગાઢ જંગલોમાં રાખવામાં આવ્યા હતા. આ જગ્યાઓનો ઉપયોગ બંદૂકધારીઓના છૂપાવવા માટે થાય છે. અગાઉ બંધક બનાવવામાં આવેલા 68 લોકો ત્રણ મહિનાથી વધુ સમય સુધી તેમની પકડમાં રહ્યા હતા. જેમાં 33 પુરૂષો, સાત બાળકો, ત્રણ છોકરીઓ અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે 29 અન્ય લોકોને જામફારાના જંગલ વિસ્તારમાંથી બિનશરતી મુક્ત કરવામાં આવ્યા હતા. આ લોકોને છોડાવવા માટે ખંડણી ચૂકવવામાં આવી હતી કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે આ મુક્તિ હવાઈ હુમલા સહિત લશ્કરી કાર્યવાહીનું પરિણામ છે.
છ મહિનામાં 700થી વધુ બાળકોનું અપહરણ
નાઇજિરિયન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બંદૂકધારીઓએ રવિવારે નાઇજર રાજ્યમાં એક ઇસ્લામિક સેમિનરીમાંથી 136 બાળકોનું અપહરણ કર્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં આ અપહરણની ઘટનાઓ તાજેતરની છે. નાઈજર રાજ્ય સરકારે અગાઉ સોમવારે ટેગીના શહેરમાં શાળા પર હુમલાની જાણ કરી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન અપહરણ કરાયેલા બાળકોની સંખ્યા આપવામાં આવી ન હતી. રવિવારના અપહરણના અપવાદ સિવાય ડિસેમ્બર 2020 થી નાઇજિરીયામાં 730 બાળકો અને વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે.