Pakistan: રાજકીય સંકટ વચ્ચે ઇમરાને કેબિનેટની વિશેષ બેઠક બોલાવી, રાત્રે 9 વાગે તેમના ઘરે પહોચશે તમામ સભ્યો

Pakistan Imran Khan: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના નિવાસસ્થાને કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ આ સમયે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ મતદાન થશે.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે ઇમરાને કેબિનેટની વિશેષ બેઠક બોલાવી, રાત્રે 9 વાગે તેમના ઘરે પહોચશે તમામ સભ્યો
Pakistan prime minister Imran Khan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 8:13 PM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) શનિવારે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની આ બેઠક રાત્રે 9 વાગ્યે ઈમરાન ખાનના નિવાસસ્થાને મળશે અને આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ખાને આવા સમયે બેઠક બોલાવી છે. જ્યારે તેમની વિરુદ્ધ વિપક્ષ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પર રાત્રે 8 વાગ્યે નેશનલ એસેમ્બલીમાં (National Assembly) મતદાન થશે. બહુમતી સાબિત ન કરી શકવાની સ્થિતિમાં તેઓ પોતાની સત્તા ગુમાવી શકે છે. મતલબ કે તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડશે.

ઈમરાન ખાને આપી હતી જાણકારી

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાને ગુરુવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, મેં કાલે કેબિનેટની બેઠક બોલાવી છે અને સાથે જ સંસદીય દળની બેઠક પણ બોલાવી છે. આવતીકાલે સાંજે હું રાષ્ટ્રને સંબોધિત કરીશ. દેશ માટે મારો સંદેશ છે કે હું હંમેશા અને મારા છેલ્લા બોલ સુધી પાકિસ્તાન માટે લડતો રહીશ. આ પછી ઈમરાન ખાને ફરીથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ ફરી એકવાર અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા.

3 એપ્રિલે થવાનું હતું મતદાન

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 એપ્રિલે મતદાન થવાનું હતું. પરંતુ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ‘સરકારને ઉથલાવવાનું વિદેશી કાવતરાં’નું બહાનું બનાવીને દરખાસ્તને નકારી કાઢી હતી. ત્યારબાદ ઈમરાન ખાને સંસદ ભંગ કરી અને ફરીથી ચૂંટણી કરાવવાનું કહ્યું. આ પછી વિપક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે ડેપ્યુટી સ્પીકર અને ઈમરાન ખાન બંનેના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમજ શનિવારે 9 એપ્રિલે નેશનલ એસેમ્બલી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">