Australia: ભારતથી ઓસ્ટ્રેલિયા જવાનો પ્રયત્ન કરનારને થઇ શકે છે 50 લાખનો દંડ અને 5 વર્ષની જેલ, જાણો કેમ?

ભારતથી ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ વ્યક્તિને દંડ અને જેલ જેવી સજાની જોગવાઈ સરકાર કરશે.

Australia: ભારતથી ઓસ્ટ્રેલિયા જવાનો પ્રયત્ન કરનારને થઇ શકે છે 50 લાખનો દંડ અને 5 વર્ષની જેલ, જાણો કેમ?
ઓસ્ટ્રેલિયા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 01, 2021 | 2:28 PM

Australia: ભારતથી આવતા મુસાફરો અંગે ઓસ્ટ્રેલિયા (Australia) સરકાર ખૂબ કડક વલણ અપનાવી રહી છે. ભારતથી ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ વ્યક્તિને દંડ અને જેલ જેવી સજાની જોગવાઈ સરકાર કરશે. દેશના ખજાનચી જોશ ફ્રીડેનબર્ગે આ પગલાને કઠોર કહીને બચાવ કર્યો, પરંતુ કહ્યું કે તેને લાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન સ્કોટ મોરિસનની (Scott Morrison)સરકારે ભારતથી આવતી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે.

સરકારે આ પગલું ભર્યું છે, કારણ કે તાજેતરમાં જ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરો પોતાના દેશ પહોંચ્યા હતા. ભારત તરફથી આવતી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ જોતાં આ બંને ક્રિકેટરોએ પ્રથમ કતારની યાત્રા કરી હતી. ત્યારબાદ ત્યાંથી ઓસ્ટ્રેલિયા માટે ઉડાન ભરી. આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે શુક્રવારે રાત્રે જાહેરાત કરી કે તેઓ સરહદ નિયંત્રણ કડક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જે કોઈ આ નિયમ ભંગ કરવાનો પ્રયાસ કરશે, તેને $ 66,600 (લગભગ 50 લાખ રૂપિયા) દંડ અથવા પાંચ વર્ષની જેલની સજા થશે, અથવા તેને બંનેનો સામનો કરવો પડી શકે છે.

સોમવારથી લાગુ થશે નિયમો

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આરોગ્યમંત્રીએ કહ્યું કે, સરકાર આવા નિર્ણયો હળવાશથી લેતી નથી. જો કે, તે ઓસ્ટ્રેલિયન લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કોરન્ટીન પ્રણાલી સંપૂર્ણપણે સલામત છે અને કોરન્ટીનની સુવિધામાં કોવિડ -19 કેસ વ્યવસ્થાપિત સ્તરે છે. નવા નિયમો સોમવારથી અમલમાં આવશે અને 15 મેના રોજ તેની સમીક્ષા કરવામાં આવશે. બાયોસાયન્સ એક્ટ હેઠળ આપવામાં આવેલી સત્તાઓ દ્વારા હન્ટે નવા નિયમો લાગુ કર્યા. આ અધિનિયમ દ્વારા સીમાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન લોકોને બચાવવા લેવાયો નિર્ણય

જોશ ફ્રીડેનબર્ગે શનિવારે સવારે ઇનકાર કર્યો હતો કે ભારતમાં ઓક્સિજનની અછત હોય ત્યારે આવી ખતરનાક પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયન નાગરિકોને ત્યાં છોડી દેવા પણ ગેરવ્યાજબી છે. ફ્રિડેનબર્ગે કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયાના લોકોને બચાવવા સખત પગલા લીધા છે. ભારતની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. મેડિકલ સલાહ લીધા પછી અમે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, ભારતની પરિસ્થિતિ નાજુક છે. આ ખૂબ ગંભીર છે. 2,00,000 લોકો મૃત્યુ પામ્યા છે અને રોજ 300,000 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">