Abu Dhabi : ભારતીય નાગરીકને મોતની સજાથી બચાવવા આ NRI બિઝનેસમેને આપ્યા 1 કરોડ રૂપિયા

જાન્યુઆરી 2021 માં ભોગ બનનારનો પરિવાર ક્રિશ્નનને માફ કરવા તૈયાર થયો અને તેને બચાવવા માટે યુસુફઅલીએ 500,000 ADE યુનાઇટેડ આરબ એમિરેટ્સના ચલણ દિરહામ ( લગભગ 1 કરોડ રૂપિયા ) કોર્ટમાં જમા કરાવ્યા.

Abu Dhabi : ભારતીય નાગરીકને મોતની સજાથી બચાવવા આ NRI બિઝનેસમેને આપ્યા 1 કરોડ રૂપિયા
ભારતીય નાગરીકને મોતની સજાથી બચાવવા મદદે આવ્યા યુસુફ અલી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 06, 2021 | 4:09 PM

આબુ ધાબીની (Abu Dhabi) એક જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય ક્રિશ્નનને (Krishnan) નવી જીંદગી મળી છે. 45 વર્ષના આ વ્યક્તિની ધરપકડ 2012 માં અકસ્માત દરમિયાન સુદાની (Sudani) બાળકના મોતના આરોપમાં કરવામાં આવી હતી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની (UAE) સુપ્રિમ કોર્ટે આ વ્યક્તિને ગુનેગાર જાહેર કરીને મોતની સજા સંભળાવી હતી. તેને ઘટના સ્થળના સીસીટીવી (CCTV) અને કેટલાક સાક્ષીઓના નિવેદનના આધારે ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો

ક્રિશ્નનને મોતની સજા સંભળાવવામાં આવી ત્યારથી જ તેમના પરિવારજન અને મિત્રો તેમને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તેઓ સતત નિષ્ફળ રહ્યા. ભોગ બનનાર બાળકનો પરિવાર ફરીથી સુદાન રહેવા જતો રહેતા ક્રિશ્નનને માફી આપવા માટે સુનવણી થઇ શક્તી ન હતી. આખરે તેમના પરિવારે લુલુ ગ્રૃપના (Lulu Group) ચેરમેન અને ભારતીય બિઝનેસમેન એમ.એ યુસુફઅલી (M A Yusuff Ali) પાસે મદદ માંગી.

યુસુફઅલીએ આ કેસની સમગ્ર માહિતી મંગાવી અને પોતાની કંપનીના બધા જ સ્ટેક હોલ્ટર્સ સાથે આ બાબતે મિટિંગ કરી. એટલું જ નહી આ બિઝનેસમેને ભોગ બનનાર પરિવારને સુદાનથી આબુ ધાબી આવવા માટે આર્થિક મદદ પણ કરી. તેમની સાથે એક મહિનાની ગંભીર ચર્ચાઓ અને મિટિંગ બાદ ક્રિશ્નનને માફ કરવા બદલ એક રકમ નક્કી કરવામાં આવી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તમને જણાવી દઇએ કે, જાન્યુઆરી 2021 માં ભોગ બનનારનો પરિવાર ક્રિશ્નનને માફ કરવા તૈયાર થયો અને તેને બચાવવા માટે યુસુફ અલીએ  500,000 ADE એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સના ચલણ દિરહામ (લગભગ 1 કરોડ રૂપિયા) કોર્ટમાં જમા કરાવ્યા. ક્રિશ્નનને ભારત પરત લાવવા માટેની તમામ કાર્યવાહી આબુ ધાબી કોર્ટ, જેલ પ્રશાસન અને ભારતીય એમ્બેસી દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી

ભારતીય એમ્બેસી સાથે વાત કરતા ક્રિશ્નને જણાવ્યુ કે, ‘આ મારા માટે એક ચમત્કાર જેવું છે અને આ મારો નવો જન્મ છે. મે તો બહારની દુનિયા જોઇ શકવાની આશા જ છોડી દીધી હતી. હવે મારી એક જ ઇચ્છા છે કે હુ એક વાર યુસુફઅલીને મળી શકુ ‘

આ પણ વાંચો – શું ‘ભાભી જી ઘર પર હૈં’ની સૌમ્યાએ ફેક ID બનાવીને લઇ લીધી કોરોના વેક્સિન?, સવાલો પર ભડકી અભિનેત્રી

આ પણ વાંચો – Look A Like : Jacqueline Fernandez થી વધારે હોટ છે તેમની હમશક્લ અમાન્ડા સેર્ની, ફોટા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">