દેશના પાવર પ્રોજેક્ટમાં પણ ચીની કંપનીઓની થશે હકાલપટ્ટી, સરકાર કરી શકે છે નિયમોમાં ફેરફાર

મોટી મોટી દિગ્ગજ ચીની કંપનીઓના પ્રોજેક્ટ રદ કરવામાં આવી રહ્યાં છે. ચીની કંપનીઓને કરોડો રુપિયાની કમાણી કરી આપતા 59 એપ્સ પર ભારત સરકારે દેશની સુરક્ષાના લીધે પ્રતિબંધ લાદી દીધો છે. જો કે હવે વીજળીના ક્ષેત્રમાં પણ ચીની કંપનીઓની હકાલપટ્ટી થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

દેશના પાવર પ્રોજેક્ટમાં પણ ચીની કંપનીઓની થશે હકાલપટ્ટી, સરકાર કરી શકે છે નિયમોમાં ફેરફાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 22, 2023 | 6:03 PM

ભારત ગલવાન ઘાટીની ઘટના બાદ ચીનને સતત આર્થિક ઝટકા આપી રહ્યું છે. મોટી મોટી દિગ્ગજ ચીની કંપનીઓના પ્રોજેક્ટ રદ કરવામાં આવી રહ્યાં છે. ચીની કંપનીઓને કરોડો રુપિયાની કમાણી કરી આપતા 59 એપ્સ પર ભારત સરકારે દેશની સુરક્ષાના લીધે પ્રતિબંધ લાદી દીધો છે. જો કે હવે વીજળીના ક્ષેત્રમાં પણ ચીની કંપનીઓની હકાલપટ્ટી થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

કેન્દ્રીય મંત્રી આરકે સિંહે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પાવર પ્રોજેક્ટ માટે જે પણ સામાન ચીનથી આયાત થાય છે હવે સરકાર તેની પર નિયંત્રણ લાવી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યૂટી પણ સરકાર વધારી શકે છે. જો કસ્ટમ ડ્યૂટી વધે તો આયાતમાં ઘટાડો થઈ શકે છે. ચીની કંપનીઓ પર નિયંત્રણ લાવવા માટે સરકાર નિયમો પણ કડક કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે ભારતની સાથે સમગ્ર દુનિયા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે ભારતમાં મોટા હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને સ્થાન આપવામાં આવશે નહીં. આટલું જ નહીં ચીની કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે પાર્ટનરશીપમાં હશે તો પણ તેઓ રોડના પ્રોજેક્ટમાં કામ કરી શકશે નહીં. દેશમાં રેલવેએ ચીની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. ભારતની સરકારી ટેલિકોમ કંપનીઓ પણ 4Gના ઈન્સ્ટોલેશનમાં ચીની કંપનીઓની મદદ લેશે નહી. આમ દેશમાં એક પછી એક ક્ષેત્રમાં ચીની કંપનીઓની હકાલપટ્ટી થઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">