નાઇઝરમાં ફરી જોવા મળ્યો બંદૂકધારીઓનો આતંક, માસુમ પર કર્યો ગોળીનો વરસાદ, અનેક લોકોના કરુણ મોત
બંદૂકધારીઓના હુમલામાં મૃત્યુઆંકનું એલાન કરતા પ્રધાન અલ્કાચે અલ્હાદાએ રાજ્યના ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં 15 લોકો બચી ગયા છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
આફ્રિકન દેશ નાઈજરના (Niger) દક્ષિણ-પશ્ચિમમાં બંદૂકધારીઓના હુમલામાં (Gunmen attack in Niger) મેયર સહિત ઓછામાં ઓછા 69 લોકો માર્યા ગયા છે. સરકારે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો નાઈજરની બુર્કિના ફાસો (Burkina Faso) અને માલીની (Mali) સરહદ નજીક થયો હતો. આ વિસ્તાર એક અસ્થિર પ્રદેશ છે, જે આફ્રિકાના સાહેલ પ્રદેશના પશ્ચિમ ભાગમાં દેશના સુરક્ષા દળો અને ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથો વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.
બંદૂકધારીઓએ મંગળવારે બનીબાંગૌના મેયરની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ પર હુમલો કર્યો. આ હુમલો શહેરથી લગભગ 50 કિમી દૂર માલીની સરહદ પાસે થયો હતો. બંદૂકધારીઓના હુમલામાં મૃત્યુઆંકની ઘોષણા કરતા ગૃહ પ્રધાન અલ્કાચે અલ્હાદાએ જણાવ્યું હતું કે હુમલામાં 15 લોકો બચી ગયા છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
સ્થાનિક સ્ત્રોતે હુમલાના સ્થળની ઓળખ અદબ-દાબ ગામ તરીકે કરી હતી. સૂત્રએ એએફપી એજન્સીને જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર આવેલા સંરક્ષણ દળ પર ઇસ્લામિક સ્ટેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં 530 થી વધુ લોકોના મોત થયા છે અન્ય એક સૂત્રએ એમ પણ કહ્યું કે આ હુમલામાં સ્થાનિક સંરક્ષણ દળ, જેને વિજિલન્સ કમિટી કહેવાય છે, તેને નિશાન બનાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોરો તેમના લડવૈયાઓના મૃતદેહો સાથે માલી પાછા ફર્યા હતા.
‘આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઈવેન્ટ ડેટા પ્રોજેક્ટ’ (ACLED) દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ નાઈજરના સરહદી વિસ્તારોમાં નાગરિકો પર હુમલામાં 530 થી વધુ લોકોના મોત થયા છે. જે 2020 ની સરખામણીમાં પાંચ ગણા વધારે છે. ACLED એક કન્સલ્ટિંગ ગ્રુપ છે જે સમગ્ર વિશ્વમાં રાજકીય હિંસા પર નજર રાખે છે.
ગામડાઓ પર હુમલા અને છેડતી જેવા ગુનાઓમાં સજા થઈ રહી છે આ પહેલા ઓગસ્ટમાં બંદૂકધારીઓએ આ વિસ્તારમાં અનેક હુમલા કર્યા હતા. આમાંથી એક હુમલામાં 37 લોકોના મોત થયા હતા. સમુદાયોને અસ્થિર કરવાની તરસમાં આતંકવાદીઓ વારંવાર મેયર, ગામના વડાઓ અને ધાર્મિક વડીલો સહિત સ્થાનિક અધિકારીઓને નિશાન બનાવે છે.
આ ઉપરાંત આ વિસ્તારોમાં ગામડાઓ પર હુમલો અને છેડતી જેવા ગુનાઓ પણ આચરવામાં આવે છે. 2018ની શરૂઆતથી આવા સરકારી અધિકારીઓની હત્યા અથવા અપહરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તહેવારો પર ડુંગળી સસ્તી કરવાના સરકારના પગલાની અસર, જાણો કેટલા ઘટ્યા ભાવ, આગળ શું થશે?
આ પણ વાંચો : આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો