નભમંડળમાં શોખ ધરાવનારાઓ માટે સારા સમાચાર, એક હજાર વર્ષે દેખાતો ધૂમકેતુ ભારતમાં દેખાશે
આકાશ, ચંદ્ર, તારા અને ખાસ કરીને નભ મંડળમાં શોખ ધરાવનારાઓ માટે સારા સમાચાર એ છે કે હજાર વર્ષમાં એક વાર દેખાતો ધૂમકેતુ C/2020 F3 કે જેને NEOWISE નામથી ઓળખવામાં આવે છે તે 14 જુલાઈનાં રોજ ભારતમાં પણ દેખાશે. ઓડિશાનાં પઠાણી સામંતા પ્લેનેટોરિયમનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર આ ધૂમકેતુ ઉત્તર પશ્ચિમ દિશામાં આકાશમાં વગર કોઈ ચશ્મા પહેરવાથી […]
આકાશ, ચંદ્ર, તારા અને ખાસ કરીને નભ મંડળમાં શોખ ધરાવનારાઓ માટે સારા સમાચાર એ છે કે હજાર વર્ષમાં એક વાર દેખાતો ધૂમકેતુ C/2020 F3 કે જેને NEOWISE નામથી ઓળખવામાં આવે છે તે 14 જુલાઈનાં રોજ ભારતમાં પણ દેખાશે. ઓડિશાનાં પઠાણી સામંતા પ્લેનેટોરિયમનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર આ ધૂમકેતુ ઉત્તર પશ્ચિમ દિશામાં આકાશમાં વગર કોઈ ચશ્મા પહેરવાથી કે ખગોળીય સાધનની મદદથી આસાનીથી જોઈ શકાશે.
પ્લેનેટોરિયમનાં ડેપ્યુટી ડાયરેક્ટર ડો. શુભેન્દુ પટનાયકનાં જણાવ્યા અનુસાર 14 જુલાઈથી NEOWISE ભારતમાં આખો દિવસ સૂર્યાસ્તનાં સમયે લગભગ 20 મિનિટ સુધી જોઈ શકાશે. દુરબીન કે નરી આંખે પણ તે આસાનીથી જોઈ શકાશે. તેમણે એ પણ જણાવ્યું કે 30 જુલાઈ સુધી આ ધૂમકેતુ સપ્તર્ષિ મંડળની પાસે હશે, ત્યારે એ આકાશમાં 1 કલાક સુધી ચમકતો રહેશે. જુલાઈ પછી તેની ચમક ઓછી થવા લાગશે ત્યારે પણ તે દુરબીનની મદદથી જોઈ શકાશે.