Myanmar:આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલ, સૈન્ય સામે અસંતોષ ભડકાવવાના દોષિત
મ્યાનમારની પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દેશની કોર્ટે તેને સેના સામે અસંતોષ ભડકાવવા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવી છે.
Aung San Suu Kyi Jailed For 4 Years: મ્યાનમારની એક અદાલતે પદભ્રષ્ટ નેતા આંગ સાન સુ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. તેને સેના સામે અસંતોષ ભડકાવવા અને કોરોના વાયરસ (Corona virus)ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. સૈન્ય સરકારના પ્રવક્તા ઝાવ મીન તુને (Zaw Min Tun)જણાવ્યું હતું કે સુ કીને “કલમ 505(b) હેઠળ બે વર્ષની અને કુદરતી આપત્તિ અધિનિયમ (Natural Disasters Act)હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.”
પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટ(Win Myint) પણ આ જ આરોપમાં ચાર વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યા છે, પરંતુ તેમને હજુ જેલમાં લઈ જવામાં આવશે નહીં.” 76 વર્ષીય સુ કી 1 ફેબ્રુઆરીએ દેશમાં સૈન્ય પ્રવેશ્યા ત્યારથી કસ્ટડીમાં છે. આ પછી એક વર્ષ કટોકટી લાગાવવામાં આવી હતી અને લોકોની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. લશ્કરી બળવાથી દેશમાં લોકશાહીનો અંત આવ્યો હતો.
સુ કી ફેબ્રુઆરીથી કસ્ટડીમાં છે
સુ કીને કસ્ટડીમાં લીધા બાદ સેનાએ તેના પર તમામ પ્રકારના આરોપો (Allegations on Suu Kyi) લગાવ્યા. તેમના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ, ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો આરોપ હતો. જો તમામ બાબતોમાં દોષિત ઠેરવવામાં આવે છે, તો નોબેલ પુરસ્કાર વિજેતા સુ કીને દાયકાઓ સુધી જેલની સજા થઈ શકે છે. રાજધાનીમાં સેના દ્વારા રચવામાં આવેલી વિશેષ અદાલતની કાર્યવાહીથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે. આ પહેલા સુ કીના વકીલોને મીડિયા સાથે બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
સેંકડો લોકો માર્યા ગયા
સ્થાનિક વોચડોગ જૂથના જણાવ્યા અનુસાર, બળવા પછી દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ લોકોના અવાજને દબાવવા માટે સેનાએ હિંસક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો (Killings in Myanmar). જેમાં 1300 થી વધુ લોકો માર્યા ગયા છે અને 10,000 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જો કે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન હજુ પણ અટકી રહ્યા નથી.