Mutant Shark: માછીમારે માનવ ચેહરા જેવી Shark પકડી, Photo જોતાં જ ઊડ્યાં લોકોના હોશ

એક રિપોર્ટ મુજબ માછીમારે આ શાર્ક વેચવાનો ઇનકાર કરી દીધો છે અને તેને ઘરે ઉછેરવાનું શરૂ કર્યું છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. Mutant Baby Shark ને 48 વર્ષીય માછીમાર અબ્દુલ્લા નૂરનએ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં રોટે નાદો પાસે પકડી હતી.

Mutant Shark: માછીમારે માનવ ચેહરા જેવી Shark પકડી,  Photo જોતાં જ ઊડ્યાં લોકોના હોશ
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:05 PM

દુનિયામાં આવી ઘણી દુર્લભ ચીજો જોવા મળે છે, જેના પછી દરેકને આશ્ચર્ય થાય છે. આ દિવસોમાં આવા જ એક સમાચાર લોકોની રુચિનું કારણ બની રહ્યા છે. ઇન્ડોનેશિયાના એક માછીમારે એક માનવ ચહેરો ધરાવતી Mutant Shark ને પકડી છે. આ મ્યુટન્ટ શાર્ક જોઇને ઘણા લોકો ચોંકી ગયા. મનુષ્યના ચહેરા સાથે મેળ ખાતી આ નાની શાર્ક મોટા શાર્કના પેટમાંથી નિકળવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ માછીમારે આ શાર્ક વેચવાનો ઇનકાર કરી દીધો છે અને તેને ઘરે ઉછેરવાનું શરૂ કર્યું છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. Mutant Baby Shark ને 48 વર્ષીય માછીમાર અબ્દુલ્લા નૂરનએ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં રોટે નાદો પાસે પકડી હતી. માછીમારોની જાળમાં સગર્ભા શાર્ક પકડાઈ હતી, પછી જ્યારે તે શાર્ક કાપી ત્યારે તેના પેટમાંથી 3 નાના-નાના બાળકો બહાર આવ્યા. આમાંનો એક શાર્કનો ચહેરો મનુષ્ય જેવો દેખાતો હતો.

the-fisherman-caught-a-shark-like-a-human-face

આ મ્યુટન્ટ શાર્ક જોઇને ઘણા લોકો ચોંકી ગયા.

અબ્દુલ્લા નૂરનએ કહ્યું કે મેં જોયું કે એક મોટી શાર્ક એક જાળમાં ફસાઈ ગઈ છે. પછીના બીજા દિવસે જ્યારે મેં શાર્ક કાપી ત્યારે તેની અંદર ત્રણ બાળકો બહાર આવ્યા. તેમાંથી બે તેમની માતાની જેમ દેખાતા હતા, પરંતુ ત્રીજા બાળકનો ચહેરો બરાબર મનુષ્ય જેવો દેખાતો હતો. તેથી જ હું આ બાળ શાર્કને ઘરે લાવ્યો અને હવે તેનું ઉછેર કરું છું. તેણે કહ્યું કે આવા ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો, જેઓ આ શાર્કના બાળકને ખરીદવા માંગે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો કે લોકોએ તમામ પ્રકારના લોભ આપ્યા બાદ પણ અબ્દુલ્લા નૂરનએ તમામની દરખાસ્તને નકારી કાઢી. તેણે કહ્યું કે આ સમાચાર લોકો સુધી પહોંચતાની સાથે જ મારા ઘરે એક વિશાળ ટોળુ એકત્રિત થઈ ગયું, અહીં આવેલા મોટાભાગના લોકો આ શાર્કને જોવા માગે છે. આ લોકોમાં, કેટલાક લોકો એવા હતા કે જેઓ તેને ખરીદવા માંગે છે, પરંતુ તેને વેચવાને બદલે, હવે હું તેને મારી પાસે રાખું છું. મને લાગે છે કે તે મારું નસીબ બદલી દેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">