26/11 Mumbai હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કરના આતંકી લખવીની ધરપકડ
Mumbai મા વર્ષ 2008 હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના આતંકી જકી ઉર રહમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. જકીઉર રહમાન લખવીને આતંકીઓને મદદ કરવા અને તેમને નાણાં આપવા બદલ ધરપકડ કરવામા આવી છે. જેમાં જકી ઉર રહેમાન અને હાફિજ સૈયદે સાથે મળીને 26/11 હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. લખવીની ધરપકડ પાકિસ્તાન ના પંજાબ પ્રાંતના કાઉંન્ટર ટેરીરીઝમ […]
Mumbai મા વર્ષ 2008 હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના આતંકી જકી ઉર રહમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. જકીઉર રહમાન લખવીને આતંકીઓને મદદ કરવા અને તેમને નાણાં આપવા બદલ ધરપકડ કરવામા આવી છે. જેમાં જકી ઉર રહેમાન અને હાફિજ સૈયદે સાથે મળીને 26/11 હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. લખવીની ધરપકડ પાકિસ્તાન ના પંજાબ પ્રાંતના કાઉંન્ટર ટેરીરીઝમ વિભાગે કરી હતી
ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન લશ્કર એ તોયબાના ઓપરેશન કમાન્ડર લખવીને મુંબઈ હુમલા બાદ વર્ષ 2008માં યુએનએસસી ના પ્રસ્તાવ અંતર્ગત સંયુક્ત રાસ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામા આવ્યો હતો. મુંબઈ હુમલાની તપાસ દરમ્યાન લખવીએ હાજીફ સઇદે આતંકી હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો.
આ હુમલામાં પાકિસ્તાન આતંકી સંગઠન લશ્કરે ભારે હથિયારો સાથે 10 આતંકીઓએ શહેરમા અંધાધૂધ ગોળીબારી કરી હતી. આ હુમલામા 166 લોકોના મોત થયા હતા. જ્યારે 300 થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેમાં છેલ્લા 6 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ એપ્રિલ 2015માં લશ્કરના ઓપરેશન કમાન્ડર લખવીને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.