ઉઈગરો પર અત્યાચાર માનવતા વિરુદ્ધ ગુનો, UN રિપોર્ટમાં ચીન પર આકરા પ્રહાર
યુએનના માનવાધિકાર વડા મિશેલ બેચેલેટે અહેવાલ પાછો ખેંચવાની ચીનની (China) અપીલને ફગાવી દીધી હતી. બેચેલેટે આ વર્ષે મે મહિનામાં ચીનના શહેર શિનજિયાંગની મુલાકાત લીધી હતી અને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
યુનાઈટેડ નેશન્સે બુધવારે ચીન (China) પર તેના શિનજિયાંગ પ્રદેશમાં ઉઇગુર અને અન્ય વંશીય લઘુમતીઓની સામૂહિક અટકાયત કરીને “આંતરરાષ્ટ્રીય અપરાધ, ખાસ કરીને માનવતા વિરુદ્ધ ગુનો” કરવાનો આરોપ મૂક્યો હતો. લાંબી રાહ જોયા બાદ, બહુપ્રતીક્ષિત અહેવાલ ગઈકાલે 31મી ઓગસ્ટે જીનીવામાં બહાર પાડવામાં આવ્યો હતો. અહેવાલમાં લઘુમતીઓની દુર્દશા માટે ચીન પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ચીન દ્વારા ઉઇગુર અને અન્ય મુસ્લિમ (Muslim) વંશીય જૂથોની ભેદભાવપૂર્ણ અટકાયત માનવતા વિરુદ્ધ ગુનો બની શકે છે.
યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ મિશેલ બેચેલેટ બહુપ્રતીક્ષિત અહેવાલ બહાર પાડવામાં આવે તે પહેલાં ઓફિસ છોડી દેવાની તૈયારીમાં હતી. રિપોર્ટની રજૂઆતની તારીખને વારંવાર મોકૂફ રાખવા બદલ તેની ટીકા થઈ હતી. ડિસેમ્બરમાં મિશેલ બેશેલેટના પ્રવક્તાએ થોડા અઠવાડિયામાં અહેવાલ પ્રકાશિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ તે પ્રકાશિત કરવામાં આવી ન હતી. આનાથી ચીનની સામે ઊભા રહેવાની યુએનની અનિચ્છનીય ધારણાઓને મજબૂતી મળી.
રિપોર્ટ પશ્ચિમી દેશોના અભિયાનનો એક ભાગ
અહેવાલ કહે છે, “ઉઇગુર અને અન્ય મુસ્લિમ જૂથો અને અન્ય મુખ્યત્વે મુસ્લિમ જૂથોની મનસ્વી અને ભેદભાવપૂર્ણ અટકાયતની હદ, કાયદા અને નીતિ અનુસાર, વ્યક્તિગત અને સામૂહિક રીતે માણવામાં આવતા મૂળભૂત અધિકારોના પ્રતિબંધનો આંતરરાષ્ટ્રીય અપરાધ બની શકે છે, ખાસ કરીને માનવતા વિરુદ્ધ અપરાધો.”
યુએનના માનવાધિકાર વડા મિશેલ બેચેલેટે અહેવાલ પાછો ખેંચવાની ચીનની અપીલને ફગાવી દીધી હતી. બેચેલેટે આ વર્ષે મે મહિનામાં ચીનના શહેર શિનજિયાંગની મુલાકાત લીધી હતી અને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. બીજી તરફ બેઇજિંગે દાવો કર્યો છે કે, ચીનની પ્રતિષ્ઠાને ડામવા માટે જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટ પશ્ચિમી દેશોના અભિયાનનો એક ભાગ છે.
યુએનના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, બળાત્કાર સહિત લૈંગિક અને લિંગ આધારિત હિંસાના આરોપો “વિશ્વસનીય લાગે છે અને તે પોતે જ ત્રાસ અથવા અન્ય પ્રકારના દુરુપયોગના કૃત્યો સમાન છે.”
આ રીતે રિપોર્ટ થયો તૈયાર
યુએનનો આ રિપોર્ટ ચીનના શિનજિયાંગ પ્રાંતમાંથી ભાગી ગયેલા ઉઇગર મુસ્લિમો અને તેમના પરિવારો સાથે લાંબી વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આ અહેવાલ જાહેર થયા પહેલા, સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂતે કહ્યું હતું કે, બેઇજિંગ આ અહેવાલનો “જોરદાર વિરોધ” કરી રહ્યું છે. તેમણે કહ્યું, “અમે અત્યાર સુધી આ રિપોર્ટ જોયો નથી, પરંતુ અમે આવા રિપોર્ટનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ, અમને નથી લાગતું કે તેનાથી કોઈને ફાયદો થશે.”