કોરોના વાયરસથી વધુ જોખમી છે મંકી બી વાયરસ, મોતનું જોખમ છે 70થી 80 ટકા

મંકી બી વાયરસનો પ્રથમ કેસ 1932માં નોંધાયો હતો. ચીનના સીડીસી મુજબ આ વાઈરસ મૃત વાનર સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.

કોરોના વાયરસથી વધુ જોખમી છે મંકી બી વાયરસ, મોતનું જોખમ છે 70થી 80 ટકા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:38 PM

કોરોના(Corona)  મહામારી વચ્ચે વધુ એક વાયરસથી માણસના સંક્રમિતનો મામલો સામે આવ્યો છે. વાંદરાથી ફેલાતા મંકી બી વાયરસ (Monkey B Virus)ની ઝપેટે એક ડોક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાયરસથી માણસમાં સંક્ર્મણનો આ પહેલો પુષ્ટિ થયેલ કેસ છે. આ વાયરસ કેટલો જીવલેણ છે, તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેનાથી સંક્રમિત લોકોનો મૃત્યુ દર 70થી 80 ટકા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોકટર માર્ચ મહિનામાં બે મૃત વાંદરાઓની ઝપેટે આવ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત 1000 લોકોમાંથી ફક્ત 9 લોકોના મોતનું જોખમ છે. ચીનની સત્તાવાર મીડિયાના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. જોકે ડોકટરના સંપર્કમાં આવેલા લોકો હજી પણ સંપૂર્ણપણે સલામત છે. આ 53 વર્ષીય પશુચિકિત્સક એક સંસ્થામાં નોન હ્યુમન પ્રાઈમિટ્સ પર સંશોધન કરી રહ્યો હતો. ડોકટરે માર્ચ મહિનામાં બે મૃત વાંદરાઓ પર સંશોધન કર્યું હતું. આ પછી ઉબકા અને ઉલ્ટીના પ્રારંભિક લક્ષણો દેખાવા લાગ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રિપોર્ટ અનુસાર સંક્રમિત ડોકટરની અનેક હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી અને બાદમાં 27 મેના રોજ તેનું અવસાન થયું હતું. જો કે અન્ય કોઈ પણ વ્યક્તિમાં કે જેની નજીકના સંપર્કમાં હોય તેમાં સંક્ર્મણની પુષ્ટિ થઈ નથી. આ મુજબ ચીનમાં અત્યાર સુધી બી વાયરસનું સંક્ર્મણથી મોત અથવા તેના દેશમાં તેની હાજરીને કારણે મૃત્યુના કોઈ પુરાવા સામે આવ્યા નથી.

મંકી બી વાયરસનો પ્રથમ કેસ 1932માં નોંધાયો હતો. ચીનના સીડીસી મુજબ આ વાઈરસ મૃત વાનર સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. વળી, જો કોઈ મૃતદેહમાંથી પાણી નીકળતા સંપર્કમાં આવે તો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આ વાયરસ ખૂબ જીવલેણ છે, યુએસ નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન અનુસાર જ્યારે બીવી વાયરસ માણસોમાં પ્રવેશ કરે છે. આ સાથે જ આપણી મુખ્ય નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.

ચીનના સીડીસીના જણાવ્યા મુજબ આ વાયરસના સંપર્કમાં આવ્યા પછી એકથી ત્રણ અઠવાડિયામાં પ્રારંભિક લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. ભૂહર્પીસ બી વાયરસ અથવા મંકી વાયરસ સામાન્ય રીતે પુખ્ત વાંદરાઓ દ્વારા ફેલાય છે. આ સાથે જ ભારતમાં મનુષ્યમાં આ સંક્ર્મણ ઓછું છે, કેમ કે આ વાઈરસ હજી સુધી ભારતના વાંદરાઓમાં નથી.

પરંતુ જો કોઈ વ્યક્તિ આ વાયરસથી ચેપ લગાવે છે તો તેને ન્યુરોલોજીકલ રોગો અથવા મગજની સમસ્યાઓ પણ થઈ શકે છે. હાલ મનુષ્યમાં સંક્ર્મણનું જોખમ ખૂબ ઓછું છે, છતાં ચેપગ્રસ્ત વાંદરાઓ સાથે સંપર્કને લીધે માણસોમાં વાયરસ આવી શકે છે.

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના અહેવાલ મુજબ જો આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો 70% કેસોમાં માણસનું મૃત્યુ થઈ શકે છે. આ સ્થિતિમાં જો તમને વાંદરા દ્વારા કરડવામાં આવે તો પ્રાથમિક સારવાર તાત્કાલિક શરૂ કરવી જોઈએ. ઘા વાળી જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરો. કમિશનના અહેવાલ મુજબ મંકી વાયરસના ઈલાજ માટે એન્ટી વાયરલ દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી.

આ પણ વાંચો : જુલાઈમાં ટામેટાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, આ વાતનું રાખવું પડશે ધ્યાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">