ટેકનિકલ ખામીના કારણે પાકિસ્તાનમાં મિસાઈલ પડવા બદલ ભારતે ખેદ વ્યક્ત કર્યો, કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આપ્યો આદેશ

રક્ષા મંત્રાલયે કહ્યું કે 9 માર્ચ, 2022ના રોજ નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીના કારણે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ટેકનિકલ ખામીના કારણે પાકિસ્તાનમાં મિસાઈલ પડવા બદલ ભારતે ખેદ વ્યક્ત કર્યો, કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આપ્યો આદેશ
Ministry of Defence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:40 PM

ભારતે (India) શુક્રવારના રોજ પાકિસ્તાન (Pakistan) પર ‘આકસ્મિક રીતે મિસાઈલ ફાયર’ કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઘટનાની પુષ્ટિ કરતા ભારત સરકારે કહ્યું કે આ ખૂબ જ ખેદજનક છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે 9 માર્ચ, 2022ના રોજ નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીના કારણે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. ભારત સરકારે (Indian Government) આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, એવી માહીતી મળી રહી છે કે મિસાઇલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી. આ ઘટના ખૂબ જ ખેદ જનક છે. સાથે જ એ પણ રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1805148

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પાકિસ્તાન સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી મિસાઈલ છોડવામાં આવી હતી. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક વિસ્તારમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, 9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઈ-સ્પીડ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને માર્ગ છોડીને પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગઈ હતી.

પાકિસ્તાને ભારતના કોન્સ્યુલેટ ઈન્ચાર્જને બોલાવ્યા

બીજી તરફ પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતના દૂતાવાસના ઈન્ચાર્જને બોલાવીને મિસાઈલ મામલાને લઈને સમન્સ પાઠવ્યું હતું. પાકિસ્તાને તેના એરસ્પેસના કથિત ઉશ્કેરણી જનક ઉલ્લંઘન પર તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ઘટનાની ઝીણવટભરી અને પારદર્શક તપાસની માંગણી કરી હતી.

પાકિસ્તાની વિદેશ કાર્યાલય (FO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીને ઉડતી ભારતીય સુપર-સોનિક ઑબ્જેક્ટ દ્વારા તેના એરસ્પેસના કથિત ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી. આ વસ્તુ 9 માર્ચે સ્થાનિક સમય અનુસાર સાંજે 6.43 વાગ્યે ભારતના ‘સુરતગઢ’થી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. બાદમાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચુન્નુ શહેરમાં તે જ દિવસે સાંજે 6.50 વાગ્યે આ વસ્તુ જમીન પર પડી, જેના કારણે નાગરિક સંપત્તિને નુકસાન થયું.

વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારતીય રાજદ્વારીને જાણ કરવામાં આવી હતી કે આ ઉડતી વસ્તુના અવિવેકપૂર્ણ રીતે છોડવાથી ન  માત્ર નાગરિક સંપત્તિને નુકસાન થયું પરંતુ માનવ જીવન માટે પણ ખતરો ઉભો થયો. તેણે કહ્યું કે, આનાથી પાકિસ્તાનની એરસ્પેસમાં ઘણી સ્થાનિક/આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પણ જોખમ ઉભુ થયું હતું અને તે ગંભીર વિમાન દુર્ઘટનાનું કારણ બની શકતી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :  યુદ્ધ વચ્ચે રશિયામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- દેશ છોડવાની જરૂર નથી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">