ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની […]
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.
જો કે અટકાયતના સમાચાર બાદ ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવ્યું હતું. આ મુદે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈ કમીશનના એક્ટિંગ હાઈ કમીશનરને સમન મોકલ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે બંને અધિકારીઓને ગાડી સાથે પરત છોડી મુકવામાં આવે. આ સિવાય પાકિસ્તાન સરકાર તેમની પૂછપરછ ના કરે અને પ્રતાડિત ના કરે તે પણ ચેતવણી ભારત સરકારે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને ભારતના અધિકારીઓ પાકિસ્તાનમાં હોવાથી તેમની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સોમવારની મોડી સાંજે ભારતીય હાઈકમીશનના બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન પોતાની હરકતો ચાલુ રાખી છે અને ભારતીય અધિકારીઓ પર ખોટા આરોપ લગાવ્યા છે. ભારતની ચેતવણી બાદ પાકિસ્તાનમાં બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે અને તેઓ ઈસ્લામાબાદ ખાતે ભારતીય હાઈકમીશન પહોંચ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]