વિશ્વના ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓ ગંભીર બિમારીમાં સપડાયા

રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 69, તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ગુપ્તતા જાળવે છે. તેથી જ તેમના ફોટા અને વીડિયો દ્વારા તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

વિશ્વના ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓ ગંભીર બિમારીમાં સપડાયા
મહાસત્તાના નેતાઓ બિમાર (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:47 PM

હાલ જયારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે. ત્યારે આ દુનિયાની 3 મહાસત્તાઓ અને શક્તિશાળી દેશોના નેતાઓ પણ હાલ બિમારી સામે ઝઝુમી રહ્યા છે. વાત થઇ રહી છે રશિયા, અમેરિકા અને ચીનની. (Russia, America and China)આ ત્રણેય દેશની કમાન હાલ બિમાર (Leader) નેતાઓના હાથમાં છે.

શી જિનપિંગઃ ચીનના (CHINA) રાષ્ટ્રપતિ

68 વર્ષીય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ‘સેરેબ્રલ એન્યુરિઝમ’ નામની બિમારીથી પીડિત છે. આ બિમારીમાં વ્યક્તિના મગજની નસો નબળી પડી જાય છે અને ફૂલી જાય છે. તે ફાટી જવાથી માથાનો દુખાવો, ઉલ્ટી, ગરદનમાં જકડાઈ જાય છે. વ્યક્તિ સુસ્ત બની જાય છે અને તેને ચાલવામાં તકલીફ પડતી હોય છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

માર્ચ 2019માં ઈટાલીના પ્રવાસ દરમિયાન શી-જિનપિંગના પગ લથડતા હતા, બાદમાં જ્યારે જિનપિંગ ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેમને ઉઠવા- બેસવા માટે પણ મદદ લેવી પડતી હતી. એ જ રીતે, ઓક્ટોબર 2020 માં શેનઝેનમાં એક ભાષણ દરમિયાન, તેમનો અવાજ ખૂબ જ ધીમો થઇ ગયો હતો અને આ દરમિયાન તેઓ સતત ઉધરસ ખાઈ રહ્યા હતા. આ બાદ તેઓ ગંભીર બિમારીમાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું.

જો બાઈડન: અમેરિકાના રાષ્ટ્રપતિ

79 વર્ષીય અમેરિકલ રાષ્ટ્રપતિ જો બાઈડન વૃદ્ધાવસ્થામાં થતા વિવિધ રોગોથી પીડિત હોવાનું કહેવાય છે. કેટલાક રિપોર્ટ્સમાં તેમને ડિમેન્શિયાના દર્દી તરીકે દર્શાવવામાં આવી રહ્યાં છે. જો બાઈડનને 1988માં ‘બ્રેન એન્યુરિઝમ’ પણ થયું હોવાનું સામે આવ્યું છે, જેના માટે બાઇડેનની સારવાર કરવામાં આવી હતી. અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના એક એકેડમીક પેપર મુજબ, 79% શક્યતા એવી છે કે બાઈડન રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ સુધી જીવીત રહી શકશે.

15 એપ્રિલ, 2022ના રોજ, બાઈડન યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિનામાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ સમાપ્ત થયા પછી બાઈડેન એકલા જ હવામાં હાથ મિલાવતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં બાઈડન સાથે સ્ટેજ શેર કરવા માટે કોઈ નહોતું.

આ અગાઉ, વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં પણ બાઈડન ખૂબ જ વિચલિત અવસ્થામાં નજરે પડયા હતા. આ કાર્યક્રમમાં બરાક ઓબામા પણ હાજર હતા. બાઈડનના ટીકાકારો તેમને ‘સ્લીપી જો’ પણ કહે છે.

વ્લાદિમીર પુટિન: રશિયાના રાષ્ટ્રપતિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 69, તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ગુપ્તતા જાળવે છે. તેથી જ તેમના ફોટા અને વીડિયો દ્વારા તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. હાલના કેટલાક અહેવાલોમાં, તેમને થાઇરોઇડ કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક અહેવાલોમાં તેમને પાર્કિન્સન રોગથી પીડિત હોવાનું પણ કહેવાય છે. તે એક પ્રકારની માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિને ચાલવામાં તકલીફ, શરીર ધ્રુજારી, સંતુલનની સમસ્યા થાય છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">