Afghanistan: કાબુલમાં ISISના હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો, અનેકના મોતની આશંકા, વિસ્ફોટથી ડરનો માહોલ

અફઘાનિસ્તાનના કાબુલથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ISISના હુમલાખોરોએ ગુરુદ્વારામાં ઘૂસીને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.

Afghanistan: કાબુલમાં ISISના હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો, અનેકના મોતની આશંકા, વિસ્ફોટથી ડરનો માહોલ
કાબુલમાં ગુરુદ્વારામાં આતંકી હુમલોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:54 AM

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલથી (kabul) ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આતંકવાદી સંગઠન ISISના કેટલાક હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસી ગયા અને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. કાબુલમાં ભયભીત શીખોનો દાવો છે કે ISISના હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસ્યા હતા. તેણે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુદ્વારા કર્તે પરવાનના પ્રમુખ ગુરનામ સિંહે જણાવ્યું કે હુમલાખોરોએ કથિત રીતે ગુરુદ્વારાની અંદર રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.

તેમના કહેવા પ્રમાણે આતંકીઓ ISISના છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે અફઘાન લઘુમતીઓને વધુ વિલંબ કર્યા વિના તરત જ ભારત પરત લાવવામાં આવે. તેઓ છ મહિનાથી ઈ-વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ હુમલા અંગે હજુ સુધી તાલિબાન સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભૂતકાળમાં પણ ગુરુદ્વારા પર હુમલા થયા છે.

અફઘાન મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલા દરમિયાન ભીષણ ગોળીબાર થયો છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકવાદી હુમલો થયો હોય. આ પહેલા પણ તેના પર અનેકવાર હુમલા થયા છે. થોડા દિવસો પહેલા, તાલિબાન સરકારે દાવો કર્યો હતો કે તેણે ગુરુદ્વારા પર હુમલો કરનારાઓની ધરપકડ કરી છે.

ગૃહ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી

ગૃહ મંત્રાલયે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કાબુલ શહેરમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના વિકાસ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">