Afghanistan: કાબુલમાં ISISના હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો, અનેકના મોતની આશંકા, વિસ્ફોટથી ડરનો માહોલ
અફઘાનિસ્તાનના કાબુલથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ISISના હુમલાખોરોએ ગુરુદ્વારામાં ઘૂસીને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.
અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલથી (kabul) ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આતંકવાદી સંગઠન ISISના કેટલાક હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસી ગયા અને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. કાબુલમાં ભયભીત શીખોનો દાવો છે કે ISISના હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસ્યા હતા. તેણે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુદ્વારા કર્તે પરવાનના પ્રમુખ ગુરનામ સિંહે જણાવ્યું કે હુમલાખોરોએ કથિત રીતે ગુરુદ્વારાની અંદર રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.
તેમના કહેવા પ્રમાણે આતંકીઓ ISISના છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે અફઘાન લઘુમતીઓને વધુ વિલંબ કર્યા વિના તરત જ ભારત પરત લાવવામાં આવે. તેઓ છ મહિનાથી ઈ-વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ હુમલા અંગે હજુ સુધી તાલિબાન સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
Alarming news from #Kabul armed militants likely from #ISIS as per Gurnam Singh the president of Gurdwara,have entered Karte Parwan Gurudwara.He is weeping & many of those residing in Gurdwara have been killed as per him .Requesting @narendramodi ji & @MEAIndia for SOS assistance pic.twitter.com/5iEtCLMTwH
— Puneet Singh Chandhok (@PSCINDIAN) June 18, 2022
ભૂતકાળમાં પણ ગુરુદ્વારા પર હુમલા થયા છે.
અફઘાન મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલા દરમિયાન ભીષણ ગોળીબાર થયો છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકવાદી હુમલો થયો હોય. આ પહેલા પણ તેના પર અનેકવાર હુમલા થયા છે. થોડા દિવસો પહેલા, તાલિબાન સરકારે દાવો કર્યો હતો કે તેણે ગુરુદ્વારા પર હુમલો કરનારાઓની ધરપકડ કરી છે.
#Breaking Two explosions yet confirmed near to the (Mandir) Hindu believers worship place in Kabul Kart-e-Parwan area. Wait for details. #Kabul #Taliban #Mandir pic.twitter.com/XiSXpM8uO4
— Aśvaka – آسواکا Afghanistan (@AsvakaNews1) June 18, 2022
ગૃહ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી
ગૃહ મંત્રાલયે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કાબુલ શહેરમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના વિકાસ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.