AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબર નજીક બ્લાસ્ટ, 73ના મોત અને 170 થી વધુ લોકો ઘાયલ

બુધવારે 2020માં ઈરાકમાં અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયેલા જનરલ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ હતી, આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લોકો અહીં પહોંચ્યા ત્યારે એક પછી એક બે વિસ્ફોટ થયા. આમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.આ હુમલામાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.

ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબર નજીક બ્લાસ્ટ, 73ના મોત અને 170 થી વધુ લોકો ઘાયલ
| Updated on: Jan 03, 2024 | 9:44 PM
Share

ઈરાનના કર્માન શહેરમાં બુધવારે એક પછી એક થયેલા બે વિસ્ફોટોમાં 73 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયો હતો. સરકારી મીડિયા અનુસાર, અલ-ઝમાન મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં અન્ય 170 લોકો ઘાયલ થયા છે. કર્માનના ડેપ્યુટી ગવર્નરે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઓનલાઈન સર્ક્યુલેટ થયેલા વીડિયોમાં રસ્તા પર કેટલાય મૃતદેહો જોવા મળે છે.

2020 માં ઇરાકમાં અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયેલા જનરલ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ હતી, જેને લઈ આજે બુધવારે સેંકડો લોકો બુધવારે તેમની યાદમાં સમારંભ તરીકે સુલેમાનીની કબર તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે હુમલો થયો હતો. તમને જણાવી દઈએ કે સુલેમાનીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવામાં આવતા હતા.

સુલેમાનીએ ઈરાન નીતિ બનાવી હતી

કુડ્સ ફોર્સના કમાન્ડર તરીકે, રિવોલ્યુશનરી ગાર્ડ્સની વિદેશી કામગીરી શાખા, સુલેમાનીએ સમગ્ર મધ્ય પૂર્વમાં ઈરાની નીતિ નક્કી કરી હતી. તેણે કુડ્સ ફોર્સ અને સહયોગી સરકારો અને હમાસ અને હિઝબુલ્લા સહિત સશસ્ત્ર જૂથોના અપ્રગટ મિશનને શસ્ત્રો, ભંડોળ, લોજિસ્ટિક્સ અને ગુપ્તચર સહાય પૂરી પાડી હતી.

2020 માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સુલેમાનીની હત્યાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેણે સુલેમાનીને દુનિયાનો નંબર વન આતંકવાદી ગણાવ્યો હતો.

કબર પાસે વિસ્ફોટ, 170 થી વધુ લોકો ઘાયલ

ઈરાની મીડિયા અનુસાર, સુલેમાનીની કબર પાસે વાર્ષિક કાર્યક્રમમાં એક પછી એક બે વિસ્ફોટ થયા. અહીં જ સુલેમાનીને દફનાવવામાં આવી હતી. ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એક આતંકવાદી હુમલો હતો. ઈરાનની ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા બાબા યેક્તપરસ્તના જણાવ્યા અનુસાર આ હુમલામાં 73 લોકો માર્યા ગયા અને 170 ઘાયલ થયા.

ઈરાની મીડિયા અનુસાર, કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના ડબ્બા ફાટ્યા હતા. કેમેન પ્રાંતના રેડ ક્રેસન્ટના વડા રેઝા પલ્લાહે જણાવ્યું કે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હુમલામાં ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">