સંકટના સમયમાં ભારતનું મોટું પગલું ; મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશ અને ઈરાનમાં પહોંચાડવામાં આવી કોરોના વેક્સીન

COVID-19 Vaccine: ભારત પૂરતી માત્રામાં રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશની રસીકરણની જરૂરિયાત પૂરી થયા બાદ બાકી રહેલી રસીની નિકાસ કરવાની પણ યોજના છે.

સંકટના સમયમાં ભારતનું મોટું પગલું ; મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશ અને ઈરાનમાં પહોંચાડવામાં આવી કોરોના વેક્સીન
કોરોના વાઇરસની રસી. (પ્રતીકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:26 PM

ભારતમાં, યુદ્ધના ધોરણે ચાલી રહેલા રસીકરણને કારણે કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં છે, જોકે ઘણા દેશોમાં કોરોના સંક્રમણની સ્થિતિ હજુ પણ ભયજનક છે. દરમિયાન, ભારત પૂરતી માત્રામાં રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશની રસીકરણની જરૂરિયાત પૂરી થયા બાદ બાકી રહેલી રસીની નિકાસ કરવાની પણ યોજના છે. આ અંતર્ગત ભારતે નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન અને મ્યાનમારને કોરોના રસીના દસ લાખ ડોઝ મોકલ્યા છે.

થોડા દિવસો પહેલા જ ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતું કે તે નવી ભારતીય રસીઓ સાથે તેની ઉત્પાદન ક્ષમતા વધારશે. તેમણે ભાર મૂક્યો કે કાચા માલનો પુરવઠો જાળવવો મહત્વપૂર્ણ છે કારણ કે કોવિડ -19 રસીઓ વિશ્વના દરેક ખૂણે પહોંચવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારતે વિશ્વના ઘણા દેશોને તબીબી સહાય અને બાદમાં રસીઓ પૂરી પાડી છે.

ટીએસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બીજી કમીટીની સામાન્ય ચર્ચામાં ‘સંકટ, સામાન્ય સ્થિતિમાં આવવાની ક્ષમતા અને સુધાર  – 2030 એજન્ડા માટે પ્રગતિની ગતિ વધારવી’ વિષય પર આ વાતો કહી હતી. તેમણે કહ્યું, ‘અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે કોવિડ સંકટ સમાપ્ત થઈ રહેલુ દેખાતુ નથી. ઠીક છે, રસીઓ આવવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે પરિસ્થિતિ બદલી શકીએ છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ટીએસ તિરુમૂર્તિએ વધુમાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ, અમે તેને પુનસ્થાપિત કરીશું અને આ મહામારીને સમાપ્ત કરવા માટે અન્ય ભાગીદારો સાથે મળીને કામ કરીશું. આ માટે, કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે. ભારતમાંથી નવી રસીઓ પણ આવી રહી છે જેની સાથે અમે પુરવઠા ક્ષમતામાં વધારો કરીશું.

ભારતે 6.6 કરોડથી વધુ રસીની નિકાસ કરી છે

ભારત રસી દાન કરવાની વૈશ્વિક પહલ ‘કોવેક્સ’ સબંધી પોતાના વચનને પુર્ણ કરવા માટે  અને ‘રસી મૈત્રી’ કાર્યક્રમ હેઠળ 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધારાની COVID-19 રસીઓની નિકાસ ફરી શરૂ કરશે. દેશમાં, એપ્રિલમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર પછી, સરકારે રસીની નિકાસ બંધ કરી દીધી હતી.

ભારતે અત્યાર સુધીમાં અનુદાન, વ્યાપારી માલસામાન અને કોવેક્સ પહેલ હેઠળ 100 થી વધુ દેશોમાં 6. 6 કરોડથી વધુ રસીઓની નિકાસ કરી છે. ટીએસ તિરુમૂર્તિએ સામાન્ય સભામાં જણાવ્યું હતું કે વૈશ્વિક મહામીરી કોરોનાવાયરસને કારણે થયેલા વિક્ષેપને કારણે ઓછી આવક ધરાવતા દેશોને પ્રતિકૂળ અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સતત વિકાસ લક્ષ્યો સહિત અમારી ઘણી મહત્વાકાંક્ષાઓ અને લક્ષ્યો સ્થિર થઈ ગયા છે.

શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રતિભાવ આપવા માટે ધીમી હતી પરંતુ આખરે સાથે મળીને અને સંકલનમાં કામ કરવાનું શરૂ કર્યું છે તેમ તેમણે કહ્યું. ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભારતીય નીતિ આપણને વધુ સારા ભવિષ્યના નિર્માણનો માર્ગ બતાવશે.

આ પણ વાંચો :  એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">