Pakistan : કરાંચીમા 12 યાત્રિકો સાથે ઉતારાયુ ભારતનું ચાર્ટડ પ્લેન ! જાણો શું રહી પાયલોટની મજબૂરી

ભારતથી જઈ રહેલું એક ચાર્ટર પ્લેન (Charter Plane) સોમવારે પાકિસ્તાનના કરાંચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાં 12 મુસાફરો હતા,જો કે બાદમાં પ્લેને ફરી ઉડાન ભરી હતી.

Pakistan : કરાંચીમા 12 યાત્રિકો સાથે ઉતારાયુ ભારતનું ચાર્ટડ પ્લેન ! જાણો શું રહી પાયલોટની મજબૂરી
Charter Plane (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:51 AM

ભારતથી 12 મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન (Charted Plane) સોમવારે પાકિસ્તાનના કરાચી શહેરમાં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું.સુત્રોનુ માનીએ તો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajiv gandhi international airport)  પરથી ઉડાન ભરેલું વિમાન 12:10 વાગ્યે કરાંચી એરપોર્ટ પર ઉતર્યું હતું.નાની પુષ્ટિ કરતા નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (CAA) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય ચાર્ટર એરક્રાફ્ટે (Aircraft) ભારતથી ઉડાન ભરી હતી અને આ સિવાય તેનો અન્ય કોઈ દેશ સાથે કોઈ સંબંધ નથી. કરાંચીમા ઉતરાણ કર્યાના થોડા સમય પછી, વિશેષ ફ્લાઇટે તમામ 12 મુસાફરો સાથે ફરીથી ઉડાન ભરી હતા. જો કે આ ચાર્ટડ પ્લેન કરાંચી એરપોર્ટ (karanchi airport) પર શા માટે લેન્ડ થયું તેનુ સ્પષ્ટ કારણ જાણી શકાયુ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતથી ટેકઓફ કરી રહેલા બે પ્લેનને ટેકનિકલ કારણોસર ગયા મહિને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. 5 જુલાઈના રોજ, સ્પાઈસ જેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટના ફ્યુઅલ ઈન્ડિકેટરમાં હવામાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ તેને કરાંચી તરફ વાળવામાં આવી હતી. આ સિવાય 17 જુલાઈએ ઈન્ડિગોની શારજાહથી હૈદરાબાદ ફ્લાઈટને સાવચેતીના પગલા તરીકે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી. એન્જિનમાં ખામી જણાયા બાદ પાયલટોએ આ નિર્ણય લીધો હતો.

અરબી સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજની વ્હારે પાકિસ્તાની નેવી

થોડા દિવસો અગાઉ પાકિસ્તાન નૌકાદળે (Pakistan navy) અરબી સમુદ્રમાં ડુબતા જહાજના નવ ભારતીય ક્રૂ સભ્યોને (Crew Member) બચાવ્યા હતા. પાકિસ્તાન નેવીના ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 9 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના તટીય શહેર ગ્વાદર પાસે બની હતી, જ્યારે ભારતીય જહાજ (indian Boat) ‘જમના સાગર’ ડૂબી ગયું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર સવાર હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

માહિતી મુજબ નૌકાદળને જહાજ વિશે માહિતી મળી, જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે નજીકના જહાજ એમટી ક્રુઇબેકેને ભારતીય જહાજના ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા અપીલ કરવામાં આવી. જેથી પાકિસ્તાન (Pakistan)  નૌકાદળે નવ ક્રૂ સભ્યોને બચાવ્યા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">