48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે. TV9 Gujarati Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની […]
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે.
ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવી જૈશ એ મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે.
મળતી માહિતી મુજબ આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં રહેલા 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલું જ નહીં, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2માં પાકિસ્તાનના 12 સૈનિકો પણ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.
સરહદ પર આવેલા ગામોના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે સોમવાર રાત્રિથી જ સરહદ પર લડાકૂ વિમાનોનો અવાજ આવી રહ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પહેલી વાર સરહદ ઓળંગીને હુમલો કર્યો છે. આ હમલો પૂરતી તૈયારી સાથે કરાયો હતો. લડાકૂ વિમાનોના હવામાં જ ઈંધણ ભરવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપવાની જાહેરાત કરી હતી.
[yop_poll id=1816]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]