કેનેડામાં કાલી દેવીના અપમાનજનક પ્રેઝન્ટેશન પર ભારતે વ્યક્ત કરી નારાજગી, એમ્બેસીએ કહ્યું- પોસ્ટર તાત્કાલિક હટાવો

ઓટાવામાં ભારતીય હાઈ કમિશને ટોરોન્ટોમાં એક ફિલ્મ પોસ્ટરમાં હિંદુ દેવી કાલીનું અપમાનજનક ચિત્રણ કરવા બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

કેનેડામાં કાલી દેવીના અપમાનજનક પ્રેઝન્ટેશન પર ભારતે વ્યક્ત કરી નારાજગી, એમ્બેસીએ કહ્યું- પોસ્ટર તાત્કાલિક હટાવો
પ્રતિકાત્મક તસવીરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:53 AM

ઓટાવામાં ભારતીય હાઈ કમિશને (Indian High Commission) ટોરોન્ટોમાં એક ફિલ્મ પોસ્ટરમાં હિંદુ દેવી કાલીનું અપમાનજનક ચિત્રણ (Kaali poster ) કરવા બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ કિસ્સામાં, ઓટ્ટાવા ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાવાળાઓને લેખિત ફરિયાદ દાખલ કરીને હિન્દુ દેવી સાથે સંબંધિત વાંધાજનક સામગ્રીને તાત્કાલિક દૂર કરવા વિનંતી કરી છે. વાસ્તવમાં, ઓટાવાના સ્થાનિક હિન્દુ સમુદાયે (Hindu Community) હિન્દુ દેવીના વાંધાજનક પોસ્ટરને લઈને ભારતીય હાઈ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ભારતીય હાઈ કમિશન એક્શનમાં આવ્યું છે અને ઈવેન્ટના આયોજકો અને કેનેડિયન સત્તાવાળાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં હિન્દુ દેવી-દેવતાઓને લગતી તમામ વાંધાજનક સામગ્રી હટાવવાની માંગ કરવામાં આવી છે. આગા ખાન મ્યુઝિયમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું.

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈના ડોક્યૂમેન્ટ્રી પોસ્ટરને લઈને વિવાદ

વાસ્તવમાં, ઓટાવા ભારતીય હાઈ કમિશને ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈના ડોક્યૂમેન્ટ્રી પોસ્ટર સામે વાંધો (kaali poster controversy) ઉઠાવ્યો છે. આ પોસ્ટર રિલીઝ થયા બાદથી તે દેશ-વિદેશમાં વિવાદોમાં આવી ગયું છે. ભારતીય મૂળની કેનેડાની રહેવાસી લીના મણિમેકલઈએ આ ડોક્યુમેન્ટરીનું નિર્દેશન કર્યું છે. LGBT સમુદાયને સમર્થન આપતી આ ડોક્યુમેન્ટરીના પોસ્ટરમાં હિંદુ દેવી કાલી સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. જ્યારથી આ પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે ત્યારથી આ પોસ્ટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોએ લાગણીઓને ઠેસ પહોંચાડતા આ પોસ્ટરને હટાવવાની માંગ કરી છે.

લીના મણિમેકલઈ સામે કેસ નોંધવામાં આવ્યો છે

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈ, જેણે પોતાની ફિલ્મમાં હિન્દુ દેવી કાલીનું અપમાનજનક ચિત્રણ કર્યું છે, તેની મુશ્કેલ પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ વધી ગઈ છે. આ મામલે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ દિવસોમાં વિવાદાસ્પદ પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમ છે, ત્યારે દિલ્હી સ્થિત વકીલે સોમવારે લીના મણિમેકલઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધ્યો છે. એવું માનવામાં આવે છે કે, દિલ્હી પોલીસ ટૂંક સમયમાં ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈને ફિલ્મના વિવાદાસ્પદ પોસ્ટરને લઈને સમન્સ નોટિસ જારી કરી શકે છે. જો કે, કેસ નોંધાયા પછી, ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈએ કહ્યું છે કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ નથી. તે જ સમયે, તેણે કહ્યું છે કે, જે લોકો પોસ્ટર રિલીઝ થયા પછી તેનો વિરોધ કરી રહ્યા છે તેઓ ફિલ્મના રિલીઝ પછી તેના પ્રેમમાં પડી જશે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈએ 2 જુલાઈના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિવાદાસ્પદ પોસ્ટર પોસ્ટ કર્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">