India-China Tension: ભારતીય સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરવા આવેલા ચીની સૈનિકોની કરી અટકાયત, ચીને કહ્યું – અમને કંઈ ખબર નથી
India-China Border: ચીની સૈનિકોએ ફરી એક વખત ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.
China on Reports of its Soldiers Detention: ચીની સૈનિકોએ ફરી એક વખત ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. લદ્દાખ પછી હવે ભારત અને ચીનના સૈનિકો અરુણાચલ (China on Arunachal Pradesh) ની સરહદ પર સામસામે આવી ગયા. ચીની સૈનિકોએ ભારતીય રાજ્યમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ઘટના ગયા સપ્તાહે તવાંગ વિસ્તારની છે અને 200 જેટલા સૈનિકો ઘૂસણખોરીના ઇરાદા સાથે આગળ વધ્યા હતા. પરંતુ આ મામલો આજે એટલે કે શુક્રવારે જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મુદ્દે હવે ચીન તરફથી પ્રતિક્રિયા આવી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય મીડિયામાં બતાવવામાં આવતા સમાચારોથી તેઓ વાકેફ નથી. તેમની દૈનિક પત્રકાર પરિષદમાં પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, ‘હું આ માહિતીથી વાકેફ નથી. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, અરુણાચલ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામસામે મુકાબલો થયો હતો. ફેસઓફ (Chinese Soldiers Incursion) બાદ બંને પક્ષો વચ્ચે કલાકો સુધી વાતચીત ચાલી હતી. પછી હાલના પ્રોટોકોલ હેઠળ તણાવ દૂર કરવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન કોઈ નુકસાનની જાણ કરવામાં આવી નથી.
ચીન અરુણાચલ પર દાવો કરે છે
ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારત આ દાવાને ખોટો ગણાવે છે. ચીન વિશ્વના અન્ય પ્રદેશોમાં પણ આવા દાવા કરે છે. ક્યારેક તે સમગ્ર દક્ષિણ ચીન સાગરને પોતાનો ગણાવે છે, અને ક્યારેક નેપાળના ઘણા વિસ્તારોને તેના (Chinese Soldiers Detaine) તરીકે બોલાવે છે. લદ્દાખમાં વિવાદ શરૂ થયો ત્યારથી બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. બંને સૈન્ય વચ્ચે ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવામાં રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોના અનેક રાઉન્ડ નિષ્ફળ રહ્યા છે. નવીનતમ ઘટના પીએલએ સાથેના લશ્કરી મંત્રણાના આગામી રાઉન્ડના થોડા દિવસો પહેલા આવી છે, જે 12 ઓક્ટોબરે થવાની છે.