India China Relations: ભારતના કડક વલણ બાદ વાતચીત કરવા તૈયાર થયું ચીન, પૂર્વ લદ્દાખની સ્થિતિને લઈ બંને દેશના વિદેશ પ્રધાનોએ કરી ચર્ચા

વિદેશ પ્રધાન એસ. જયશંકરે દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની (SCO) એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બાદમાં વાંગ યી સાથે બેઠક કરી હતી અને બંને નેતાઓ વચ્ચેની આ બેઠક એક કલાક સુધી ચાલી હતી.

India China Relations: ભારતના કડક વલણ બાદ વાતચીત કરવા તૈયાર થયું ચીન, પૂર્વ લદ્દાખની સ્થિતિને લઈ બંને દેશના વિદેશ પ્રધાનોએ કરી ચર્ચા
Foreign Minister of India S Jaishankar with Chinese Foreign Minister Wang Yi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 3:14 PM

ભારતે ચીનને (India-China Relations) સ્પષ્ટ સંદેશ આપતા ભારતે કહ્યું કે, પૂર્વ લદ્દાખની વર્તમાન પરિસ્થિતિના લાંબા સમય સુધી સતત ચાલવાના કારણે દ્વિપક્ષીય સંબંધો સ્પષ્ટ રીતે નકારાત્મક રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આ બાદ ચીને ગુરુવારે કહ્યું હતું કે, તે બાબતોના પરસ્પર સ્વીકાર્ય સમાધાનો શોધવા તૈયાર છે. જેનું વાતચીત દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવાની જરૂર છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની (SCO) એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જે બાદ તેમણે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક એક કલાક સુધી ચાલી હતી.

બેઠક દરમિયાન એસ જયશંકરે (S Jaishankar) વાંગ યીને (Wang Yi) કહ્યું હતું કે, લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સ્થિરતામાં કોઈ પણ એકપક્ષીય પરિવર્તન ભારતને સ્વીકાર્ય નથી. તે જ સમયે પૂર્વ લદ્દાખમાં સંપૂર્ણ શાંતિની પુન:સ્થાપન બાજ જ સંબંધો સર્વગ્રાહી રીતે વિકસી શકે છે. તાજિકિસ્તાનની રાજધાનીમાં બેઠક એવા સમયે થઈ છે કે જ્યારે પૂર્વ લદ્દાખમાં દળો પાછા ખેંચવાની પ્રક્રિયામાં બંને સૈન્ય વચ્ચે તકરાર છે. ગયા વર્ષના મેથી ઘર્ષણના સમાધાન માટે લશ્કરી અને રાજકીય વાટાઘાટો પછી ફેબ્રુઆરીમાં બંને સૈન્યએ પેંગોંગ તળાવ વિસ્તારોમાંથી તેમના શસ્ત્ર અને સૈન્ય પાછા ખેંચ્યા હતા.

ચીનના વિદેશ મંત્રાલયે જયશંકર અને વાંગ વચ્ચેની વાતચીત અંગે ગુરુવારે તેની વેબસાઇટ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, મંત્રીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો નીચલા સ્તરે રહ્યા છે. જ્યારે ગલવાન ખીણ અને પેંગોંગ લેકમાંથી સૈન્ય ખસી ગયા બાદ સરહદની પરિસ્થિતિ સામાન્ય રીતે સુધરતી હતી. તેમ છતાં, ચીન અને ભારત વચ્ચેના સંબંધો હજી પણ નીચા સ્તરે છે, જે કોઈના હિતમાં નથી. ચીને તેના જૂના વલણનું પુનરાવર્તન કર્યું હતું અને તેના દેશની સાથે ભારતની સરહદ પરની પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર નથી તેવુ કહ્યું હતું. વાંગે કહ્યું હતું કે, ચીન વાતચીત અને પરામર્શ દ્વારા નિરાકરણ લાવવાની જરૂર હોય તે બાબતોના પરસ્પર સ્વીકાર્ય સમાધાનો શોધવા તૈયાર છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સ્થિતિ સુધારવામાં ચીન તરફથી કોઈ પ્રગતિ થઈ નથી: જયશંકર

ચીને ગાલવાન ખીણ અને પેંગોંગ ત્સોથી પોતાના સૈનિકો પાછો ખેંચી લીધો છે. પરંતુ પૂર્વી લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સાંગ જેવા સંઘર્ષના અન્ય ક્ષેત્રોમાંથી સૈન્ય પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. જયશંકરે વાંગ સાથેની બેઠકમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખની વર્તમાન પરિસ્થિતિના લંબાણનો સ્પષ્ટ રીતે દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવ વિસ્તારોમાંથી સૈન્યની પાછી ખેંચી લીધા બાદ પરિસ્થિતિને સુધારવામાં ચીની તરફથી કોઈ પ્રગતિ થઈ નથી.

આ પણ વાંચો: Gold Price Today : ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા 50,000 રૂપિયા ચૂકવવા પડશે , જાણો કેટલું મોંઘુ થયું સોનુ

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે યોગ અને નેચરોપેથીના સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવીને સારવાર કરી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">