ભારત-ચીન કમાન્ડરો વચ્ચે 16મા રાઉન્ડની મંત્રણા સમાપ્ત, સવારે 9.30 વાગ્યાથી બેઠક ચાલી રહી હતી

India-China Commander-Level Talks: ભારત અને ચીન વચ્ચે 16મા રાઉન્ડની વાટાઘાટો રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ભારતીય ક્ષેત્રમાં ચુશુલ-મોલ્ડોમાં ચાલી રહી હતી.

ભારત-ચીન કમાન્ડરો વચ્ચે 16મા રાઉન્ડની મંત્રણા સમાપ્ત, સવારે 9.30 વાગ્યાથી બેઠક ચાલી રહી હતી
ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની મંત્રણા સમાપ્તImage Credit source: File Pic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 11:28 PM

16th Round of India-China Commander-Level Talks: ભારત અને ચીન (India China) વચ્ચેની મંત્રણાનો 16મો રાઉન્ડ રવિવારે સમાપ્ત થયો છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ભારતીય ક્ષેત્રમાં ચુશુલ-મોલ્ડોમાં ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે 16મી રાઉન્ડની બેઠક સવારે 9.30 વાગ્યાથી ચાલી રહી હતી, જે રાત્રે 10 વાગ્યે પૂરી થઈ હતી. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ લેહ સ્થિત 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિન્દય સેનગુપ્તાએ કર્યું હતું. તે જ સમયે, ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ દક્ષિણ શિનજિયાંગ લશ્કરી જિલ્લાના વડા મેજર જનરલ યાંગ લિન કરી રહ્યા હતા.

ભારતે સતત કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે LAC પર શાંતિ અને સંવાદિતા જાળવવી મહત્વપૂર્ણ છે. અગાઉ 11 માર્ચે ભારતીય સેના અને ચીનની પીએલએ વચ્ચે વાતચીત થઈ હતી. 15માં તબક્કાની મંત્રણામાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. એક સંયુક્ત નિવેદનમાં, બંને પક્ષોએ જણાવ્યું હતું કે મુદ્દાઓના નિરાકરણથી પ્રદેશમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારત અને ચીન વચ્ચે મંત્રણાનો 16મો રાઉન્ડ સમાપ્ત થયો

નોંધનીય છે કે ભારત અને ચીનના સશસ્ત્ર દળોએ મે 2020 થી પૂર્વ લદ્દાખમાં સરહદ પર તણાવપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા માટે ભારત અને ચીને અત્યાર સુધીમાં સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજ્યા છે. બંને પક્ષો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોના પરિણામે કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા છે. હાલમાં, બંને દેશોમાંના દરેકે LAC સાથેના સંવેદનશીલ ક્ષેત્રમાં લગભગ 50,000 થી 60,000 સૈનિકો તૈનાત કર્યા છે.

જયશંકર અને વાંગ યી 7 જુલાઈએ મળ્યા હતા

નોંધનીય છે કે 7 જુલાઈના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીએ બાલીમાં પૂર્વી લદ્દાખની સ્થિતિ પર વાતચીત કરી હતી. G20 વિદેશ પ્રધાનોની બેઠકની બાજુમાં એક કલાક લાંબી બેઠકમાં, જયશંકરે વાંગને પૂર્વી લદ્દાખમાં તમામ પડતર મુદ્દાઓને વહેલામાં વહેલી તકે ઉકેલવાની જરૂરિયાત જણાવી.

મીટિંગ પછીના એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “વિદેશ પ્રધાને, સ્ટેન્ડઓફના કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવાનો ઉલ્લેખ કરતા, ભારપૂર્વક જણાવ્યું હતું કે બાકીના તમામ વિસ્તારોમાંથી સંપૂર્ણ ખસી જવા માટે આ ગતિ જાળવી રાખવી જોઈએ. “જયશંકરે દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ અને અગાઉની વાતચીત દરમિયાન બંને મંત્રીઓ વચ્ચે થયેલી સમજૂતીનું સંપૂર્ણ પાલન કરવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">