બલ્ગેરિયામાં થયો ગોઝારો અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ, બાળકો સહિત 46 લોકોના મોત

આગમાં દાઝી ગયેલા 7 લોકોને રાજધાની સોફિયા (Sofia)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવીએ આ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તર મેસેડોનિયા (North Macedonia)ના લોકો પણ સામેલ છે.

બલ્ગેરિયામાં થયો ગોઝારો અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ, બાળકો સહિત 46 લોકોના મોત
Bus Fire in Bulgaria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 12:50 PM

બલ્ગેરિયા (Bulgaria)ના પશ્ચિમી ભાગમાં હાઈવે પર ઉત્તર મેસેડોનિયન નંબર પ્લેટવાળી (North Macedonian plates) એક બસમાં ભીષણ આગ લાગી (Bus Fire in Bulgaria)ગઈ. આગ લાગવાની આ ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકો પણ સામેલ છે.

આગમાં દાઝી ગયેલા 7 લોકોને રાજધાની સોફિયા (Sofia)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવીએ આ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તર મેસેડોનિયા (North Macedonia)ના લોકો પણ સામેલ છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

નિકોલાઈ નિકોલોવીએ કહ્યું કે એક બસમાં આગ લાગવાના કારણે ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. તેમને કહ્યું કે આગ લાગવાની આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે થઈ. સોફિયામાં નોર્થ મેસેડોનિયાના દુતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી આગ લાગવાની ઘટનાનું કારણ જાણી શકાયું નથી. હાલમાં ઘટનાવાળી જગ્યાને સીલ કરી દેવામાં આવી છે.

બસમાં સવાર હતા 53 મુસાફર

અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી દીધી છે કે મૃત્યુ પામેલાઓમાં ઉત્તર મેસેડોનિયામાં રહેતા લોકો અને બાળકો સામેલ છે. સોફિયાથી લગભગ 45 કિલોમીટર પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર આ દુર્ઘટના બની. આ ઘટના સમયે બસમાં કુલ 53 મુસાફર સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા.

તેમને જણાવ્યું કે હાલમાં 7 લોકોની તબિયત સ્થિર છે. વચગાળાના વડાપ્રધાન સ્ટેફન યાનેવ (Stefan Yanev) ઘટના સ્થળ તરફ જવા રવાના થઈ ગયા છે. નોર્થ મેસેડોનિયાના વિદેશ મંત્રી બુજર ઉસ્માનીએ કહ્યું કે લોકો ઈસ્તાંબુલથી વિકેન્ડની રજા પસાર કરી ઉતરી મેસેડોનિયાની રાજધાની સ્કોપજે પરત ફરી રહ્યા હતા.

આ એક મોટી દુર્ઘટના છે: ઉત્તર મેસેડોનિયનના વડાપ્રધાન

ગૃહ મંત્રી બોયકો રાશકોવે કહ્યું કે બસની અંદર લોકો સવાર હતા અને પછી તેઓ બળીને ખાખ થઈ ગયા. તેણે કહ્યું કે આ તસવીર ડરાવનારી છે. મેં આવું પહેલાં ક્યારેય જોયું નથી. બલ્ગેરિયન તપાસ સેવાના વડા બોરિસ્લાવ સરાફોવે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ડ્રાઈવરની ભૂલના કારણે થઈ કે પછી કોઈ ટેક્નિકલ ખરાબી હતી.

તસ્વીરમાં સળગેલી બસ ફાયરકર્મીઓ અને ઈમરજન્સી કર્મચારીઓથી ઘેરાયેલી છે. નોર્થ મેસેડોનિયાના વડાપ્રધાન જોરાન જેવે કહ્યું કે દુર્ઘટનાથી હું ડરી ગયો છું. આ ખુબ જ મોટી દુર્ઘટના છે. મેસેડોનિયા દુતાવાસના પ્રતિનિધિઓ ઘાયલ લોકોની હોસ્પિટલમાં મુલાકાત કરી છે.

આ પણ વાંચો: ગલવાન ઘાટીમાં શહીદ થયેલા બળવાન કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત, આતંકવાદીને મારનારા સુબેદાર સંજીવ કુમારને કીર્તિ ચક્ર એનાયત

આ પણ વાંચો: સંસદમાં કૃષિ કાયદાઓને રદ કર્યા પહેલા સરકાર કરી શકે છે આ કામ, કૃષિ મંત્રીના સંબોધન પર થઈ શકે છે હંગામો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">