‘બૂસ્ટર ડોઝ લગાવ્યા બાદ મને લાગ્યું હું મરી રહ્યો છું’-કોરોના વેક્સીન પર ટ્વીટરના CEOનું નિવેદન
પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતુ કે તેણે બીજો બુસ્ટર ડોઝ લઈ લીધા પછી તેને ઘણા દિવસો સુધી તેની આડઅસર રહી હતી અને મરી રહ્યા હોવાનો એહસાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના રસીની આડઅસરની ચર્ચા જોર પકડી રહી છે. આ દરમિયાન, ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ પણ શનિવારે કહ્યું કે, કોરોના વેક્સીનનો બીજો બૂસ્ટરને લાગુ લીધા પછી તેમને ઘણી આડઅસરોનો સામનો કરવો પડ્યો. મસ્કે ટ્વીટ કર્યું, બીજા બૂસ્ટર ડોઝ લીધા પછી ઘણા દિવસો સુધી મરી રહ્યો હોવાનું અનુભવ થઈ રહ્યું હતું.
વેક્સીનને લઈને મસ્કનું નિવેદન
પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતુ કે તેણે બીજો બુસ્ટર ડોઝ લઈ લીધા પછી તેને ઘણા દિવસો સુધી તેની આડઅસર રહી હતી અને મરી રહ્યા હોવાનો એહસાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ. એલોન મસ્કનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતુ જ્યારે વેક્સીનની પ્રભાવશાળીતાને લઈને ચર્ચા ચાલી રહી હતી.
એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતુ કે પહેલા બૂસ્ટર શોટ તેમના માટે વધુ કઠીન ન રહ્યો હતો પણ બીજો ડોઝ જ્યારે લીધો તેના દુષપ્રભાવ થવા લાગ્યા હતા અને ઘણા દિવસ સુધી તેની ખરાબ અસર રહ્યી પણ હતી. આથી હું મરી રહ્યો હોવ તેવું ફિલ થઈ રહ્યું હતુ.
I had major side effects from my second booster shot. Felt like I was dying for several days. Hopefully, no permanent damage, but I dunno.
— Elon Musk (@elonmusk) January 21, 2023
કોરોના વેક્સિનની બહેસમાં શામિલ થયો એલન મસ્ક
એલોન મસ્કનું નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે આખી દુનિયામાં કોરોના વેક્સીનને લઈના પ્રભાવને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ પહેલા દાવોસના વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન ફાઈઝરના સીઈઓએ રસીને લઈને સવાલ પુછતા નકારી દીઘા હતા. તેમજ મસ્કની વાત કરીએ તો તેમના પિતરાઈ ભાઈ કોરોનાની વેક્સિન લીધા બાદ તેમને પિતરાઈ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મસ્કના પિતરાઈ ભાઈ હોસ્પિટલમાં દાખલ
મસ્કે કહ્યું કે પહેલું mRNA બૂસ્ટર સારું હતું, પરંતુ બીજા બૂસ્ટર ડોઝ પછી મારી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ પહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મીટિંગ દરમિયાન જ્યારે ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બૌરલાને કોરોના વેક્સીનની આડ અસર અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે તેઓ જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. મસ્કે એ પણ જણાવ્યું કે કોરોનાની રસી લગાવ્યા બાદ તેના પિતરાઈ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
ફાઈઝરના સીઈઓ પર ઉઠી રહ્યાં છે સવાલ
તાજેતરની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) મીટિંગ દરમિયાન, કોરોના રસી બનાવતી કંપની ફાઇઝરના સીઇઓ આલ્બર્ટ બૌરલાએ રસીની અસરકારકતા અંગેના મુશ્કેલ પ્રશ્નોને ટાળ્યા હતા. બૌરલાએ કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો અને તેના બદલે વારંવાર “ખૂબ ખૂબ આભાર” કહેવાનું ચાલુ રાખ્યું.